શોધખોળ કરો

BCCI બે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમો બનાવશે, એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની મેચ રમશે

બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 થી 2027 સુધીની સાઈકલ માટે મીડિયા અધિકારોની હરાજીથી BCCIને 48,000 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સાથે IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ તરીકે ઉભરી આવી છે. જોકે, આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગીદારી ઓછી થઈ જશે. પરંતુ બીસીસીઆઈએ આ અંગે ખૂબ જ ખાસ પ્લાન બનાવ્યો છે.

ભવિષ્યમાં ભારતની બે ટીમો એકસાથે અલગ-અલગ દેશોમાં રમતી જોવા મળશે. આ જાણકારી BCCI સેક્રેટરી જય શાહે આપી છે. તેણે કહ્યું, “અમે બે રાષ્ટ્રીય ટીમો તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય અમારી બે ટીમોને એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ક્રિકેટ રમતા જોવાનો છે.

તમને જણાવી દઈએ કે આઈપીએલના વધતા કદને કારણે હવે BCCI પર મેચોની સંખ્યા વધારવાનું દબાણ છે. બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે. આ દરમિયાન તમામ દેશોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો IPL (Indian Premier League) માટે ઉપલબ્ધ રહેશે.

બીસીસીઆઈએ એક યોજના બનાવી છે

IPLની વધતી જતી વિન્ડોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અસર થવાની અટકળો હતી. પરંતુ હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય મેચો પર કઈ રીતે વધુ અસર નહીં થવા દે.

જોકે, બીસીસીઆઈ દ્વારા જે પ્રકારની યોજનાની વાત કરવામાં આવી છે, તે જ કંઈક ગયા વર્ષે પણ જોવા મળ્યું હતું. ગત વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસે હતા. દરમિયાન, IPLમાં સારું પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓને T20 અને ODI ટીમના ભાગ રૂપે શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા આવી જ ટીમ આવતા મહિને આયર્લેન્ડના પ્રવાસ પર મોકલવામાં આવશે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget