શોધખોળ કરો

ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાએ વધુ એક બેવડી સદી ફટકારી, 28 વર્ષ જુના આ રેકોર્ડની કરી બરાબરી

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ ફરી પાછી મેળવી લીધી છે અને ફરીથી ફોર્મમાં આવી ગયો છે.

Pujara Becomes 2nd Indian To Make Two Double Hundreds In County Cricket: ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પોતાની ખોવાયેલી ગતિ ફરી પાછી મેળવી લીધી છે અને ફરીથી ફોર્મમાં આવી ગયો છે. ઇંગ્લેન્ડમાં પૂજારા સદીઓ ફટકારી રહ્યો છે અને રેકોર્ડ બનાવી રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટમાં અત્યાર સુધીમાં તેણે 130થી વધુની એવરેજથી 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 28 વર્ષ જૂના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી.

ભારતીય ટેસ્ટ ટીમમાં પરત આવવા માટે ફરીથી ફોર્મમાં આવવાની પ્રેક્ટિસ રુપે હાલ ઇંગ્લેન્ડ ગયેલા ચેતેશ્વર પૂજારાએ સસેક્સ માટે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપના બીજા વિભાગમાં ડરહામ સામેની આ ચાર દિવસીય મેચમાં શનિવારે પૂજારા 334 બોલમાં 203 રન બનાવીને આઉટ થયો હતો. 107 રન સાથે દિવસની શરૂઆત કરનાર પુજારાએ પોતાની ઇનિંગ્સમાં 24 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની બેવડી સદીની મદદથી સસેક્સે પ્રથમ દાવમાં 538 રન બનાવીને 315 રનની લીડ મેળવી હતી. ડરહામનો પ્રથમ દાવ 223 રનમાં સમેટાઈ ગયો હતો.

પૂજારાનું શાનદાર પ્રદર્શનઃ
ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગતા પૂજારાની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી સદી છે. આ દરમિયાન, તેણે સસેક્સ સાથેની તેની પ્રથમ મેચમાં 6 અને અણનમ 201 રન બનાવ્યા હતા, જેના કારણે ડર્બીશાયર સામે ફોલોઓન મેળવ્યા બાદ સસેક્સે આ મેચ ડ્રો કરી હતી. ત્યાર બાદ પુજારાએ વર્સેસ્ટરશાયર સામે 109 અને 12 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે આ મેચમાં તેની ટીમને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

અઝહરના રેકોર્ડની બરાબરી કરીઃ
આ સાથે પૂજારાએ 28 વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૂજારા હવે ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં બે બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. આ પહેલાં અઝહરે 1991માં 212 અને 1994માં 205 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget