શોધખોળ કરો

David Warner: ડેવિડ વોર્નરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ન આપી રાહત, કેપ્ટનશીપ પરનો પ્રતિબંધ યથાવત રહેશે

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરને હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી રાહત મળી નથી

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરને હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી રાહત મળી નથી. કેપ્ટન ડેવિડ વોર્નર પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું હતું કે તે ડેવિડ વોર્નર પરનો પ્રતિબંધ હટાવી રહ્યું નથી. આ સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઝડપી બોલર પેટ કમિન્સને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જ એરોન ફિન્ચે વન-ડે  ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ  ડેવિડ વોર્નર પર પ્રતિબંધ ઉઠાવવામાં આવશે તેવી ચર્ચા શરૂ થઇ હતી. વાસ્તવમાં ડેવિડ વોર્નર પોતાના અનુભવના કારણે વન-ડે  ટીમનો કેપ્ટન બનવાની રેસમાં સામેલ થયો હતો.

પરંતુ એક મહિનાના લાંબા ગાળા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને બદલે પેટ કમિન્સ પર વિશ્વાસ મૂક્યો હતો. કમિન્સને ગયા વર્ષે ટિમ પેનની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે કમિન્સ વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ ઝડપી બોલર પણ બની ગયો છે.

વોર્નરને રાહત મળી શકે છે

બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ડેવિડ વોર્નર પર કેપ્ટનશીપ અંગે લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ હટાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં બિગ બેશ લીગના આયોજકો તરફથી વોર્નર પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આ મામલાની સુનાવણી કરવા તૈયાર થઈ ગયું છે.

જો કે વોર્નરને ભવિષ્યમાં આ મામલે રાહત મળી શકે છે. ભવિષ્યમાં જરૂર પડ્યે વોર્નર કમિન્સનું સ્થાન સંભાળે તેવી શક્યતા છે. CA બોર્ડ દ્વારા તેમની આચારસંહિતામાં ફેરફારોની દરખાસ્ત કર્યા પછી વોર્નરના નેતૃત્વ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે તેવી શક્યતા છે.

ટી-20 વર્લ્ડકપ 2022 સીઝનની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ ફેરફાર ODI ફોર્મેટ માટે કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને હવે ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.વન-ડે કેપ્ટનશીપની સાથે સાથે વન-ડે વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી પણ કમિન્સના ખભા પર રહેશે.  કારણ કે વન-ડે વર્લ્ડકપ આવતા વર્ષની શરૂઆતમાં યોજાવા જઇ રહ્યો છે. નોંધનીય છે કે કમિન્સ અગાઉથી જ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.

 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget