શોધખોળ કરો

IND vs BAN: કેએલ રાહુલ-ઋષભ પંતમાં નંબર 5 માટે કોણ છે બેસ્ટ ? દિનેશ કાર્તિકે આપ્યો જવાબ

Dinesh Karthik On KL Rahul vs Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી ફરી એક્શનમાં આવશે જ્યારે તે બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઢાકામાં રમાશે.

Dinesh Karthik On KL Rahul vs Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમ રવિવારથી ફરી એક્શનમાં આવશે જ્યારે તે બાંગ્લાદેશ સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઢાકામાં રમાશે. આ શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલી સહિત ભારતના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓની વાપસી જોવા મળી હતી. જોકે, પ્લેઈંગ ઈલેવન માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે. ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકે શનિવારે પ્રથમ વન ડે પહેલા આ મામલે વિગતવાર વાત કરી હતી. આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે ઋષભ પંત અને કેએલ રાહુલ વચ્ચે પાંચમા નંબર માટે કયો બેટ્સમેન બેસ્ટ છે.

પંત-રાહુલની ટક્કર

દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર નંબર પાંચ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. કારણ કે ઋષભ પંત અને કેએલ રાહુલ બંને આ પદના દાવેદાર છે. લોકેશ રાહુલ થોડા સમયથી આ ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું. 50-ઓવરના ફોર્મેટમાં કેએલ રાહુલે મોટાભાગે ઓપનરની ભૂમિકા ભજવી છે. જોકે તેણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી.

કેએલ રાહુલ નંબર 5 માટે વધુ બેસ્ટ

દિનેશ કાર્તિકનું માનવું છે કે ભારતીય ટીમમાં નંબર પાંચ માટે કેએલ રાહુલ વધુ સારો વિકલ્પ હશે. ક્રિકબઝ સાથે વાત કરતાં તેણે કહ્યું કે, ટીમમાં પાંચમો નંબર એ જગ્યા છે જ્યાં આપણે ચર્ચા કરવાની જરૂર છે. કેએલ રાહુલ અને રિષભ પંત વચ્ચે ટોસ થશે. મને લાગે છે કે કેએલ રાહુલ ચોક્કસપણે રમશે. તેણે વધુમાં ઉમેર્યું કે, કેએલ રાહુલ 50 ઓવરના વર્લ્ડ કપ માટે યોગ્ય મિડલ ઓર્ડર બેટ્સમેન હશે. જો તેમ થશે તો તેઓ તેને પાંચમા નંબર પર ફિટ કરી લેશે. તાજેતરમાં જ ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની મેચોમાં ભાગ લીધો હતો. બીજી વનડે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ બાકીની મેચોમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.

બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ભારતને લાગ્યો મોટો ફટકો

 ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ભારત માટે માઠા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાથની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, ઉપરાંત ટેસ્ટ માટે પણ શંકાસ્પદ છે.

પ્રથમ વનડે વરસાદથી ધોવાઇ જશે ? જાણો શું છે હવામાનનું અપડેટ

ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. 

પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન - 
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે. 

પીચ રિપોર્ટ  - 
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget