Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ
ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝન 8 સપ્ટેમ્બર (ગુરુવાર)થી શરૂ થઈ રહી છે.
![Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ “Focus Is On The Duleep Trophy” – Ajinkya Rahane Not Thinking About Test Recall Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/671e69fc5435e84fb76ede5dbcf3eaf2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝન 8 સપ્ટેમ્બર (ગુરુવાર)થી શરૂ થઈ રહી છે. સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થાય છે જે પહેલાની જેમ પ્રાદેશિક ફોર્મેટમાં રમાશે. દુલીપ ટ્રોફીમાં ક્રિકેટ ચાહકોની નજર અજિંક્ય રહાણે પર છે, જે ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી રહ્યો છે. રહાણેને વેસ્ટ ઝોનનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે, જેની પ્રથમ મેચ નોર્થઈસ્ટ ઝોન સામે રમાવાની છે.
Excitement Levels 🆙 as the Domestic season commences! 👏 👏
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2022
Just One Sleep Away From #DuleepTrophy! ⌛️ pic.twitter.com/bzd5CwQ5Kq
ખેલાડીઓની પ્રતિષ્ઠા અને અનુભવને જોતા બંને ટીમો વચ્ચે કોઈ મેળ નથી. વેસ્ટ ઝોનની ટીમ પાસે કેપ્ટન રહાણે, પૃથ્વી શો, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર અને રાહુલ ત્રિપાઠી જેવા બેટ્સમેનો છે. જોકે આ મેચ દરમિયાન સૌથી વધુ ધ્યાન રહાણે પર રહેશે, જે ફરી એકવાર રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.
રહાણેએ આ વાત કહી
રહાણેએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, જુઓ, હું પ્રક્રિયાને અનુસરવામાં માનું છું. અત્યારે મારું ધ્યાન દુલીપ ટ્રોફી પર છે અને પશ્ચિમ ઝોનની ટીમ માટે સારો દેખાવ કરવા ઇચ્છું છું. આપણે જોઈશું કે ભવિષ્યમાં શું થાય છે. મને એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવું ગમે છે. ઈજામાંથી પાછા આવ્યા બાદ ભવિષ્ય વિશે વધુ વિચારવાને બદલે વર્તમાન સમય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. હું સારું કરવા તૈયાર છું.
બીજી મેચ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે રમાશે. અનુભવી મનોજ તિવારીના નેતૃત્વમાં ઇસ્ટ ઝોનની ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. જો કે, ટીમને ટોચના ક્રમના બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરનની ખોટ રહેશે, જે ન્યુઝીલેન્ડ A સામે ચાલી રહેલી શ્રેણીમાં ભારત A ટીમનો ભાગ છે. નોર્થ ઝોનની કેપ્ટનશીપ મનદીપ સિંહ સંભાળે છે, જેમાં U-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધૂલ પણ સામેલ છે. ટીમમાં નવદીપ સૈની અને સિદ્ધાર્થ કૌલ જેવા અનુભવી બોલરો પણ સામેલ છે.
અજિંક્ય રહાણે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ખરાબ ફોર્મના કારણે તેને આ વર્ષે શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી રહાણે IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને તે સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. હવે રહાણે પાસે દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કરવાની મોટી તક છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)