શોધખોળ કરો

IND vs ENG 2022: ઈંગ્લેન્ડ સામે દિનેશ કાર્તિક અને ઋષભ પંતમાંથી કોણ સારો વિકલ્પ? રવિ શાસ્ત્રીએ આપ્યો આ જવાબ

ઋષભ પંતને ઝિમ્બાબ્વે સામેની છેલ્લી સુપર-12 રાઉન્ડની મેચમાં રમવાની તક મળી, જ્યારે દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા મળી ન હતી.

Ravi Shastri On Rishabh Pant: ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ક્રિકેટ ફેન્સને નિરાશ કર્યા છે. તે જ સમયે, ઋષભ પંતને ઝિમ્બાબ્વે સામેની છેલ્લી સુપર-12 રાઉન્ડની મેચમાં રમવાની તક મળી, જ્યારે દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા મળી ન હતી. દિનેશ કાર્તિક T20 વર્લ્ડ કપ 2022ની 4 મેચમાં માત્ર 14 રન જ બનાવી શક્યો છે. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ સેમીફાઈનલમાં દિનેશ કાર્તિક રમશે કે ઋષભ પંત... હવે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ઋષભ પંતને તક મળે - રવિ શાસ્ત્રી

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળવી જોઈએ. સાથે તેમણે કહ્યું કે, ઋષભ પંત એક્સ ફેક્ટર છે, દિનેશ કાર્તિક ટીમનો સારો ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોના બોલિંગ આક્રમણને જોતા ઋષભ પંત વધુ સારો વિકલ્પ છે. રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે જો ઋષભ પંત રમશે તો ડાબા હાથના બેટ્સમેનની કમી પણ પૂરી થઈ જશે.

શા માટે ઋષભ પંતને તક અપાય?

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ઈંગ્લેન્ડ સામે ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ કારણે ઋષભ પંતને સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં તક મળવી જોઈએ. તેણે કહ્યું કે, જો તમે એડિલેડમાં મેચ રમી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, ત્યાંની બાઉન્ડ્રી નાની છે. બીજી તરફ ઋષભ પંત જેવો બેટ્સમેન રમશે તો ઈંગ્લેન્ડની બોલિંગનો વધુ સારી રીતે સામનો કરી શકશે. સાથે જ તેમણે કહ્યું કે કોઈ પણ ટીમમાં વધુ પડતા જમણા હાથના બેટ્સમેન હોવા યોગ્ય નથી.

સેમિ ફાઈનલમાં આ ટીમો રમશેઃ

T20 વર્લ્ડ કપ માટે સેમિ ફાઈનલના જંગ માટે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ભારત સેમિ ફાઈનલમાં 10 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. જ્યારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટક્કર ન્યૂઝિલેન્ડ સામે 9 નવેમ્બરના રોજ થશે. પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની 9 નવેમ્બરના રોજ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યે રમાશે. આ સાથે 10 નવેમ્બરના રોજ બીજો સેમિ ફાઈનલ મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ બપોરે 1.30 વાગ્યે ઓવેલ સ્ટેડિયમ એડિલેડ ખાતે રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
પાટીદાર અનામત આંદોલનના કેસ સરકારે પરત લીધા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે જાણો શું આપ્યું નિવેદન
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Toll Plaza: FASTag હવે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ ? સરકાર લાવી રહી છે આ નવો નિયમ
Embed widget