ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ અટેક, અચાનક ઈગ્લેન્ડ સીરિઝ છોડી ભારત પરત ફર્યા
Head coach Gautam Gambhir: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે

IND vs ENG Test Series: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યા છે. કેટલાક ટ્વિટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની માતાની તબિયત બગડતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
Head coach Gautam Gambhir returning to India from England due to family emergency: Sources
— ANI Digital (@ani_digital) June 13, 2025
Read @ANI Story | https://t.co/HxsCy53HLi#GautamGambhir #IndiaCricket pic.twitter.com/DIQzTrspsU
ગૌતમ ગંભીર 7 જૂને ટીમ સાથે લંડન પહોંચ્યો હતો. ટીમ હાલમાં બેકેનહામમાં પ્રેક્ટિસ કરી રહી છે. આજથી અહીં એક ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં તેણે ટીમ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું. જોકે, 20 જૂનથી શરૂ થનારી ટેસ્ટ પહેલા તે ટીમ સાથે ઇંગ્લેન્ડમાં રહેશે.
ગૌતમ ગંભીરની માતાની તબિયત કેવી છે?
ગૌતમ ગંભીરની માતાનું નામ સીમા ગંભીર છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તેઓ હાલમાં ICUમાં દાખલ છે, પરંતુ સારી વાત એ છે કે તેઓ ખતરાની બહાર છે. હવે પ્રાપ્ત માહિતી મુજબ, ગંભીર 17 જૂને ઇંગ્લેન્ડ પરત ફરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
ગંભીરનો પરિવાર દિલ્હીમાં રહે છે, તેમના પિતાનું નામ દીપક ગંભીર છે. તેમનો ટેક્સટાઇલ્સનો વ્યવસાય છે. તેમની માતા સીમા ગંભીર ગૃહિણી છે. ગંભીરની એક નાની બહેન છે, જેનું નામ એકતા છે. ઓક્ટોબર 2021માં ગંભીરે નતાશા જૈન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે જેમનું નામ Aazeen અને Anaiza છે.
2007થી ઇંગ્લેન્ડમાં નથી મળી કોઇ જીત
ગૌતમ ગંભીર જાણે છે કે આ યુવા ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ તે એ પણ જાણે છે કે જ્યારે કોઈ ખેલાડી પોતાને મોટો બનાવે છે ત્યારે આ તકો છે. પ્રેક્ટિસ દરમિયાન યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા તેમણે કહ્યું કે અલબત્ત અમે 3 સૌથી અનુભવી ખેલાડીઓ (વિરાટ, રોહિત અને અશ્વિન) વિના રમી રહ્યા છીએ પરંતુ આ તમારા માટે દેશ માટે કંઈક ખાસ કરવાની તક છે.
ભારતીય ક્રિકેટ ટીમે 18 વર્ષથી ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી નથી. આ દરમિયાન એમએસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમે ઇંગ્લેન્ડમાં 2-2 ટેસ્ટ શ્રેણી રમી જેમાંથી 3 હારનો સામનો કરવો પડ્યો અને 1 ડ્રો રહી હતી.


















