શોધખોળ કરો

World Cup 2023 Schedule:  આજે જાહેર કરાશે વન-ડે વર્લ્ડકપનો કાર્યક્રમ, 100 દિવસ બાદ શરૂ થશે ટુનામેન્ટ

આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે.

ODI World Cup 2023 Schedule: આજનો દિવસ (27 જૂન) ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આજે જ વન-ડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પાસે તેની મેચો તટસ્થ સ્થળો પર કરાવવાની માંગ કરી હતી. જે માંગણીને આઇસીસીએ ફગાવી દીધી હતી.

પાકિસ્તાનને ICC અને BCCIની વાત માનવી પડી

પરંતુ આ પછી પીસીબીએ બીજી અડચણ ઊભી કરી હતી કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે તેની મેચ રમવા માંગતું નથી. ઉપરાંત, તેની બીજી માંગ એ હતી કે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચના સ્થળ બદલવા માંગે છે  પરંતુ ICC અને BCCIએ પાકિસ્તાનની આ બંન્ને માંગણીઓ પણ સ્વીકારી ન હતી.

આમ છતાં આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCIની વાત સ્વીકારવી પડી છે. અહેવાલો અનુસાર, PCBની સહમતિ સાથે હવે વર્લ્ડ કપ શિડ્યુલ જાહેર કરવાની તમામ અડચણો દૂર થઇ ગઇ છે. BCCI મંગળવારે જ મુંબઈમાં ઔપચારિક બેઠક કરશે અને તે પછી લગભગ 11:30 વાગ્યે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે.

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થશે.

27 જૂને વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થયાના બરાબર 100 દિવસ બાદ એટલે કે 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટ શરૂ થશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગયા વર્ષની રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.

મુંબઈ-કોલકાતામાં સેમિફાઈનલ યોજાઈ શકે છે

વર્લ્ડ કપની ઓપનિંગ મેચ અને ફાઇનલ મેચ બંન્ને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જ્યારે સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું હતું કે, "વર્લ્ડ કપ સેમિફાઈનલની યજમાની માટેના બે સંભવિત સ્થળો મુંબઈના વાનખેડે અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ છે.

ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે.

આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચો યોજાવાની છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા આ ​​મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget