શોધખોળ કરો

IND vs AUS: ત્રીજી ટેસ્ટ પહેલા કેએસ ભરતે પિચને લઈ આપ્યું મોટુ નિવેદન, જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે.

KS Bharat on Pitch: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-2થી આગળ છે. આ સિરીઝની શરૂઆતથી જ ભારતીય વિકેટો અને પીચોને લઈને સતત નિવેદનબાજી થઈ રહી છે. હવે ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરતે આ વિકેટ અને પીચને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેએસ ભરતે કહ્યું કે આ વિકેટો પર રમવું અશક્ય નથી.


કેએસ ભરતે કહ્યું કે વિકેટ પર રમવું અશક્ય નથી

ઈન્દોર ટેસ્ટ પહેલા કેએસ ભરતે પીચ પર મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સિરીઝમાં અત્યાર સુધી મળેલી વિકેટ પર રમવું અસંભવ નથી, પરંતુ બેટ્સમેનોએ પોતાના ડિફેન્સ પર ભરોસો રાખવો પડશે. રોહિત ભાઈએ મને કહ્યું કે હું દિલ્હીમાં બીજા દાવમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરીશ. ઓસ્ટ્રેલિયા આઉટ થતાં જ હું બેટિંગ કરવા અને યોગદાન આપવા તૈયાર હતો. આ પીચો પર શોટની પસંદગી મહત્વપૂર્ણ છે. જો શોટની પસંદગી સાચી હોય તો રન બને છે. તમે માત્ર બચાવ કરી શકતા નથી, તમારે રન બનાવવાની તકો પણ શોધવી પડશે.

વિરાટ મોટો રેકોર્ડ બનાવી શકે છે

ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈન્દોર ટેસ્ટમાં ભારતમાં ટેસ્ટ રમતા 4000 રન પૂરા કરવાની સુવર્ણ તક હશે. વિરાટે ભારતમાં અત્યાર સુધીમાં 48 મેચ રમી છે. આ મેચોમાં તેણે 74 ઇનિંગ્સમાં 59.43ની એવરેજથી 3923 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પાસે ભારતમાં રમતા ઈન્દોર ટેસ્ટમાં 4000 ટેસ્ટ રન પૂરા કરવાની સુવર્ણ તક છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ટેસ્ટ રમતા વિરાટે અત્યાર સુધીમાં 13 સદી અને 12 અડધી સદી ફટકારી છે. મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ 2 મેચ જીતીને આ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. બીજી તરફ જો ભારતીય ટીમ ત્રીજી મેચ જીતી જશે તો ફરી એકવાર ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતશે. 

Rishabh Pant Update: ઋષભ પંત ક્યારે કરશે મેદાનમાં વાપસી? સૌરવ ગાંગુલી આપ્યો જવાબ

તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે... આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.

સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે. વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kheda: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો.Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget