શોધખોળ કરો

IND vs BAN: બાંગ્લાદેશ પર ભારે પડ્યા કુલદીપ-પૂજારા, પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતના આ રહ્યા કારણો

ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે

India vs Bangladesh 1st Test: ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચની પ્રથમ ઈનિંગમાં 404 રન અને બીજી ઈનિંગમાં 258 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાંગ્લાદેશ બીજા દાવમાં માત્ર 324 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવો જાણીએ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત અને બાંગ્લાદેશની હારના કારણો શું હતા.

ટીમ ઈન્ડિયાની જીતના કારણો

બેટિંગમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં પૂજારા, ગિલ, ઐય્યર, અશ્વિન અને કુલદીપ યાદવે બાંગ્લાદેશના બોલરોને ખૂબ પરેશાન કર્યા અને તેમની સામે રન બનાવ્યા હતા. ભારત તરફથી આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. બંને બેટ્સમેનોએ મેચની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી અને મેચમાં ભારતની સ્થિતિ મજબૂત કરી હતી.

કુલદીપ, સિરાજ અને અક્ષરે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

આ મેચમાં બેટિંગ ઉપરાંત ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ માટે પ્રથમ દાવમાં વાપસી કરી રહેલા કુલદીપ યાદવે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ સિરાજે પોતાની સ્પીડથી બેટિંગ કરતા બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી. આ મેચમાં કુલદીપ યાદવે કુલ 8, અક્ષર પટેલે 5 અને મોહમ્મદ સિરાજે કુલ 4 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની હારના કારણો

પ્રથમ દાવમાં ફ્લોપ બેટિંગ

બાંગ્લાદેશની ટીમની હારનું સૌથી મોટું કારણ તેની પ્રથમ ઇનિંગની બેટિંગ હતી. વાસ્તવમાં ભારતની પ્રથમ ઈનિંગ 404 રન બાદ બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં બાંગ્લાદેશી બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘણો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ દાવમાં બાંગ્લાદેશનો કોઈ બેટ્સમેન 30 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો. જેના કારણે ભારતે બાંગ્લાદેશ પર મોટી લીડ મેળવી અને અંતે મેચ જીતી લીધી.

બોલિંગમાં સરેરાશ પ્રદર્શન

બાંગ્લાદેશ ટીમની હારનું મુખ્ય કારણ ટીમનું સરેરાશ બોલિંગ પ્રદર્શન હતું. વાસ્તવમાં પ્રથમ દાવમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 112 રનમાં ટીમ ઈન્ડિયાના 4 મુખ્ય બેટ્સમેનોને આઉટ કરી દીધા હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશી ટીમ ભારતને મોટો સ્કોર બનાવવા નહીં દે. પરંતુ આ પછી પૂજારા અને ઐય્યરે  મોટી ભાગીદારી રમી અને ભારતને મોટા સ્કોર તરફ લઈ ગયા.

બીજી ઈનિંગમાં પણ બાંગ્લાદેશી બોલરો નિસ્તેજ દેખાતા હતા અને તેઓ ટીમ ઈન્ડિયાની માત્ર 2 વિકેટ જ મેળવી શક્યા હતા. ભારતે બાંગ્લાદેશની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવ્યો અને મેચ જીતી લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget