![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs BAN: બાંગ્લાદેશ પર ભારે પડ્યા કુલદીપ-પૂજારા, પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતના આ રહ્યા કારણો
ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે
![IND vs BAN: બાંગ્લાદેશ પર ભારે પડ્યા કુલદીપ-પૂજારા, પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતના આ રહ્યા કારણો Ind vs Ban 1st Test: India crush Bangladesh by 188 runs IND vs BAN: બાંગ્લાદેશ પર ભારે પડ્યા કુલદીપ-પૂજારા, પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતના આ રહ્યા કારણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/18/7e2a90b34e7ed5bb6696f5f498719a1c167134566719274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs Bangladesh 1st Test: ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચની પ્રથમ ઈનિંગમાં 404 રન અને બીજી ઈનિંગમાં 258 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાંગ્લાદેશ બીજા દાવમાં માત્ર 324 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવો જાણીએ પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત અને બાંગ્લાદેશની હારના કારણો શું હતા.
WHAT. A. WIN! 👏👏#TeamIndia put on an impressive show to win the first #BANvIND Test by 188 runs 🙌🙌
— BCCI (@BCCI) December 18, 2022
Scorecard ▶️ https://t.co/CVZ44N7IRe pic.twitter.com/Xw9jFgtsnm
ટીમ ઈન્ડિયાની જીતના કારણો
બેટિંગમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં પૂજારા, ગિલ, ઐય્યર, અશ્વિન અને કુલદીપ યાદવે બાંગ્લાદેશના બોલરોને ખૂબ પરેશાન કર્યા અને તેમની સામે રન બનાવ્યા હતા. ભારત તરફથી આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. બંને બેટ્સમેનોએ મેચની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી અને મેચમાં ભારતની સ્થિતિ મજબૂત કરી હતી.
કુલદીપ, સિરાજ અને અક્ષરે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
આ મેચમાં બેટિંગ ઉપરાંત ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ માટે પ્રથમ દાવમાં વાપસી કરી રહેલા કુલદીપ યાદવે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ સિરાજે પોતાની સ્પીડથી બેટિંગ કરતા બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી. આ મેચમાં કુલદીપ યાદવે કુલ 8, અક્ષર પટેલે 5 અને મોહમ્મદ સિરાજે કુલ 4 વિકેટ ઝડપી હતી.
.@imkuldeep18 shone bright 🔆 & bagged the Player of the Match award as #TeamIndia win the first #BANvIND Test 🙌 🙌
— BCCI (@BCCI) December 18, 2022
Scorecard ▶️ https://t.co/GUHODPfRj9 pic.twitter.com/A4jhcMO8nu
બાંગ્લાદેશની હારના કારણો
પ્રથમ દાવમાં ફ્લોપ બેટિંગ
બાંગ્લાદેશની ટીમની હારનું સૌથી મોટું કારણ તેની પ્રથમ ઇનિંગની બેટિંગ હતી. વાસ્તવમાં ભારતની પ્રથમ ઈનિંગ 404 રન બાદ બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં બાંગ્લાદેશી બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘણો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ દાવમાં બાંગ્લાદેશનો કોઈ બેટ્સમેન 30 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો. જેના કારણે ભારતે બાંગ્લાદેશ પર મોટી લીડ મેળવી અને અંતે મેચ જીતી લીધી.
બોલિંગમાં સરેરાશ પ્રદર્શન
બાંગ્લાદેશ ટીમની હારનું મુખ્ય કારણ ટીમનું સરેરાશ બોલિંગ પ્રદર્શન હતું. વાસ્તવમાં પ્રથમ દાવમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 112 રનમાં ટીમ ઈન્ડિયાના 4 મુખ્ય બેટ્સમેનોને આઉટ કરી દીધા હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશી ટીમ ભારતને મોટો સ્કોર બનાવવા નહીં દે. પરંતુ આ પછી પૂજારા અને ઐય્યરે મોટી ભાગીદારી રમી અને ભારતને મોટા સ્કોર તરફ લઈ ગયા.
બીજી ઈનિંગમાં પણ બાંગ્લાદેશી બોલરો નિસ્તેજ દેખાતા હતા અને તેઓ ટીમ ઈન્ડિયાની માત્ર 2 વિકેટ જ મેળવી શક્યા હતા. ભારતે બાંગ્લાદેશની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવ્યો અને મેચ જીતી લીધી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)