શોધખોળ કરો

IND Vs ENG T20I Series: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં અત્યાર સુધી નથી હારી ભારતીય ટીમ, પ્રથમવાર ઇગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ

IND Vs ENG T20I Series:  કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી.

IND Vs ENG T20I Series: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશનની ખૂબ નજીક છે. ટીમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. તેની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટી-20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યા છે.

કેપ્ટન તરીકે સૂર્યાની કારકિર્દીમાં આ છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 સીરિઝ છે. કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી. ઉપરાંત, સૂર્યા પહેલીવાર ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે.

સૂર્યાની કેપ્ટનશીપમાં આ 4 ટીમોને હરાવી

સૂર્યકુમાર યાદવને નવેમ્બર 2023માં પહેલીવાર કેપ્ટનશીપ મળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં કમાન સંભાળી હતી. પાંચ મેચની આ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમે 4-1થી જીત મેળવી હતી. આ પછી ભારતીય ટીમનો અપરાજિત રથ સૂર્યાની કેપ્ટનશીપમાં આગળ વધતો રહ્યો.

ઓસ્ટ્રેલિયા પછી ભારતીય ટીમે સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. અહીં 2 મેચની T20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. આ પછી શ્રીલંકાનો તેના જ ઘરમાં 2-0થી પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશને ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી T20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમે આ ચાર મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી 3-1થી જીતી હતી. હવે સૂર્યાનો મુશ્કેલ પડકાર ઇંગ્લેન્ડ સામે છે.

T20 પછી વન-ડે શ્રેણી પણ રમાશે

ભારતના પ્રવાસ પર ઇંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 શ્રેણી રમશે. પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ ODI ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં આ શ્રેણી બંને ટીમો માટે પ્રેક્ટિસ જેવી રહેશે. શ્રેણીની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget