શોધખોળ કરો

IND Vs ENG T20I Series: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં અત્યાર સુધી નથી હારી ભારતીય ટીમ, પ્રથમવાર ઇગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ

IND Vs ENG T20I Series:  કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી.

IND Vs ENG T20I Series: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશનની ખૂબ નજીક છે. ટીમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. તેની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટી-20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યા છે.

કેપ્ટન તરીકે સૂર્યાની કારકિર્દીમાં આ છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 સીરિઝ છે. કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી. ઉપરાંત, સૂર્યા પહેલીવાર ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે.

સૂર્યાની કેપ્ટનશીપમાં આ 4 ટીમોને હરાવી

સૂર્યકુમાર યાદવને નવેમ્બર 2023માં પહેલીવાર કેપ્ટનશીપ મળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં કમાન સંભાળી હતી. પાંચ મેચની આ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમે 4-1થી જીત મેળવી હતી. આ પછી ભારતીય ટીમનો અપરાજિત રથ સૂર્યાની કેપ્ટનશીપમાં આગળ વધતો રહ્યો.

ઓસ્ટ્રેલિયા પછી ભારતીય ટીમે સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. અહીં 2 મેચની T20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. આ પછી શ્રીલંકાનો તેના જ ઘરમાં 2-0થી પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશને ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી T20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમે આ ચાર મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી 3-1થી જીતી હતી. હવે સૂર્યાનો મુશ્કેલ પડકાર ઇંગ્લેન્ડ સામે છે.

T20 પછી વન-ડે શ્રેણી પણ રમાશે

ભારતના પ્રવાસ પર ઇંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 શ્રેણી રમશે. પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ ODI ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં આ શ્રેણી બંને ટીમો માટે પ્રેક્ટિસ જેવી રહેશે. શ્રેણીની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget