શોધખોળ કરો

IND Vs ENG T20I Series: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં અત્યાર સુધી નથી હારી ભારતીય ટીમ, પ્રથમવાર ઇગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ

IND Vs ENG T20I Series:  કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી.

IND Vs ENG T20I Series: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશનની ખૂબ નજીક છે. ટીમને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. તેની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટી-20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યા છે.

કેપ્ટન તરીકે સૂર્યાની કારકિર્દીમાં આ છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 સીરિઝ છે. કેપ્ટન તરીકે તેમનો અત્યાર સુધીનો પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી ભારત એક પણ ટી-20 સીરિઝ હાર્યું નથી. ઉપરાંત, સૂર્યા પહેલીવાર ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરશે.

સૂર્યાની કેપ્ટનશીપમાં આ 4 ટીમોને હરાવી

સૂર્યકુમાર યાદવને નવેમ્બર 2023માં પહેલીવાર કેપ્ટનશીપ મળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં કમાન સંભાળી હતી. પાંચ મેચની આ ટી-20 સીરિઝમાં ભારતીય ટીમે 4-1થી જીત મેળવી હતી. આ પછી ભારતીય ટીમનો અપરાજિત રથ સૂર્યાની કેપ્ટનશીપમાં આગળ વધતો રહ્યો.

ઓસ્ટ્રેલિયા પછી ભારતીય ટીમે સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. અહીં 2 મેચની T20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. આ પછી શ્રીલંકાનો તેના જ ઘરમાં 2-0થી પરાજય થયો હતો. જ્યારે બાંગ્લાદેશને ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી T20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમે આ ચાર મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી 3-1થી જીતી હતી. હવે સૂર્યાનો મુશ્કેલ પડકાર ઇંગ્લેન્ડ સામે છે.

T20 પછી વન-ડે શ્રેણી પણ રમાશે

ભારતના પ્રવાસ પર ઇંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 શ્રેણી રમશે. પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પણ ODI ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં આ શ્રેણી બંને ટીમો માટે પ્રેક્ટિસ જેવી રહેશે. શ્રેણીની પહેલી વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget