શોધખોળ કરો

IND vs NZ: રોહિત શર્માએ તોડ્યો સનથ જયસૂર્યાનો રેકોર્ડ, વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

Rohit Sharma Broke Sanath Jayasuriya ODI Sixes Record: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ દરમિયાન તેણે શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. મેચ પહેલા રોહિતને જયસૂર્યાનો રેકોર્ડ તોડવા માટે ચાર સિક્સરની જરૂર હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા હિટમેને જયસૂર્યાને પાછળ છોડી દીધો હતો. જયસૂર્યાએ પોતાની ODI કરિયરમાં 270 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, રોહિતે હવે ODI ક્રિકેટમાં 273 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં રમાઈ રહેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.


સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન

વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 398 વનડેની 369 ઇનિંગ્સમાં બેટિંગ કરતા સૌથી વધુ 351 સિક્સર ફટકારી હતી. શાહિદ આફ્રિદી લગભગ 19 વર્ષ સુધી પાકિસ્તાન માટે રમ્યો. વનડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ બીજા નંબર પર છે. યુનિવર્સ બોસે 301 ODIની 294 ઇનિંગ્સમાં 331 સિક્સર ફટકારી હતી. જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ 445 વનડેની 433 ઇનિંગ્સમાં 270 છગ્ગા ફટકાર્યા હતા.

ભારત વિશાળ સ્કોર તરફ આગળ વધી રહ્યું છે

ઈન્દોરમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. રોહિત શર્મા અને શુભમન ગિલ સદી ફટકારી છે.  આ બંને બેટ્સમેનો દ્વારા અત્યાર સુધી જે પ્રકારની બેટિંગ કરવામાં આવી છે તેનાથી ટીમ ઈન્ડિયા જોરદાર સ્કોર તરફ આગળ વધી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતે 32.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 252 રન બનાવી લીધા હતા. રોહિત શર્મા 101 અને શુભમન ગિલ 112 રન બનાવીને આઉટ થયા હતા.  ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને ઈશાન કિશન બંને રમતમાં છે.  

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા , શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.

કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget