શોધખોળ કરો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન

IND vs NZ Test Series: ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચોની સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જ્યારે ઉપ કપ્તાન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રહેશે.

India Squad For New Zealand Test Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રહેશે.

છેલ્લા દિવસોમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. હવે, ન્યૂઝીલેન્ડ સામે પોતાના ઘરઆંગણે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોચ પર ચાલી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે.

ન્યૂઝીલેન્ડ સામે ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જૈસવાલ રહેશે. ત્યારબાદ ટોપ ઓર્ડર માટે શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સરફરાઝ ખાન જેવા બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ઋષભ પંત સ્ક્વોડનો ભાગ છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગ સંભાળશે. સાથે જ ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ રહેશે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પછી, એવું માનવામાં આવે છે કે ભારતીય પસંદગીકારોએ જસપ્રિત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવીને મોટો સંકેત આપ્યો છે. રોહિત શર્મા બાદ જસપ્રીત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમ:

રોહિત શર્મા (કપ્તાન), જસપ્રીત બુમરાહ (ઉપ કપ્તાન), યશસ્વી જૈસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમઃ

ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), માઈકલ બ્રેસવેલ (માત્ર પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, ઈજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીયર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ

આ પણ વાંચોઃ

New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Embed widget