શોધખોળ કરો

ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર... ગૌતમ ગંભીરનો પ્રથમ પ્રવાસ, જાણો ક્યારે થશે મુકાબલા

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની ટી20 સિરીઝ રમી રહી છે. ત્યારબાદ તેણે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને જ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ટૂર્નામેન્ટ પછી જ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા હેડ કોચ બનાવ્યા છે.

જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2024 પછી શુભમન ગિલની કેપ્ટનશીપમાં યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ છે. અહીં બંને ટીમો વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. ત્યારબાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે. જોકે, હજુ સુધી શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. કહેવાય છે કે આ અઠવાડિયાના અંતે ટીમની જાહેરાત કરી દેવામાં આવશે. આ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે વનડેની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે.

રિપોર્ટ્સ મુજબ રોહિત આ પ્રવાસમાંથી પણ આરામ લઈ શકે છે. જ્યારે તે વર્લ્ડ કપ પછી જ ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ટી20માં હાર્દિક અને વનડેમાં રાહુલ કેપ્ટન હોઈ શકે છે. ટી20 મેચ સાંજે તો વનડે મુકાબલા બપોરે થશે.

ભારતીય ટીમ આ પ્રવાસની શરૂઆત 26 જુલાઈએ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સૌ પ્રથમ 3 મેચની ટી20 સિરીઝ રમાશે. આ બધા મુકાબલા પલ્લેકેલેમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ થશે. પ્રથમ વનડે મુકાબલો 1 ઓગસ્ટે થશે. આ સિરીઝના બધા વનડે મુકાબલા શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50 50 ઓવરના આ એકદિવસીય મુકાબલા ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

ભારત શ્રીલંકાનું શેડ્યૂલ:

26 જુલાઈ   પ્રથમ ટી20, પલ્લેકેલે

27 જુલાઈ   બીજી ટી20, પલ્લેકેલે

29 જુલાઈ   ત્રીજી ટી20, પલ્લેકેલે

1 ઓગસ્ટ   પ્રથમ વનડે, કોલંબો

4 ઓગસ્ટ   બીજી વનડે, કોલંબો

7 ઓગસ્ટ   ત્રીજી વનડે, કોલંબો          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget