શોધખોળ કરો

IND vs NZ: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે

India vs New Zealand 2nd T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાંચીમાં સીરિઝની બીજી ટી-20 મેચ રમાશે.ટીમ ઇન્ડિયા બીજી ટી-20 મેચ જીતી સીરિઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં પાંચ વિકેટે ભારતે વિજય મેળવ્યો હતો.  JSCA ઈન્ટનેશનલ સ્ટેડિયમમાં રમાનારી બીજી T20 મેચ દરમિયાન ભારે ઝાંકળ પડવાની સંભાવના છે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે.

અત્યાર સુધી ટી 20 ઇન્ટરનેશનલમાં ન્યૂઝિલેન્ડની ટીમનું પલડુ ભારે રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 18 મેચ રમાઇ છે જેમાં 9 મેચમાં ન્યૂઝિલેન્ડનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાત મેચ જીતી છે. તે સિવાય બે મેચનું કોઇ પરિણામ આવ્યું નહોતું.

રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે અથવા જેઓ RT PCR નો નેગેટિવ રિપોર્ટ બતાવશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. સહાઈએ કહ્યું, "રાજ્ય સરકારે 100 ટકા હાજરી માટે પરવાનગી આપી છે અને અમને આશા છે કે ભારતમાં લાંબા સમય પછી, સ્ટેડિયમ ભરાઈ જશે. ગેલેરીઓમાં ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ થશે. પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. "

તેમણે આગળ કહ્યું, 'લોકો બે વર્ષથી લોકડાઉનથી કંટાળી ગયા છે અને આ મેચને લઈને ઘણો ઉત્સાહ છે. ફરી એકવાર લોકો રસ્તા પર જોવા મળશે. જોકે, તેમણે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સ્થળ-સ્થળે પરીક્ષણ કરવામાં આવશે અને મુલાકાતીઓએ 48 કલાકની અંદર બંને રસી અથવા નેગેટિવ RT-PCR રિપોર્ટના પ્રમાણપત્રો બતાવવાના રહેશે.

સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં," 

દરમિયાન ચીફ ક્યુરેટર શ્યામ બહાદુર સિંહે કહ્યું કે સાંજે 7.30 વાગ્યા પછી ઘણું ઝાકળ પડવાની સંભાવના છે, જેના કારણે ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તે સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ વિકેટ છે, જેનો ઉપયોગ છેલ્લે જુલાઈમાં ઝારખંડ સ્ટેટ ટી20 ટુર્નામેન્ટ માટે કરવામાં આવ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget