શોધખોળ કરો

લોકો સારવાર માટે રઝળતાં હોય ત્યારે આઈપીએલ સસ્પેન્ડ કર્યા સિવાય છૂટકો નહોતો, સ્ટાર ક્રિકેટરે કરી કોમેન્ટ

નાસિર હુસૈને કહ્યું, ભારતમાં જે સ્થિતિ છે તેની ખેલાડીઓ અવગણના કરી શકે તેમ પણ નહોતા.હા તેઓ પોતાનો સહયોગ અને દાન આપી રહ્યા હતા પણ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં આઈપીએલને સ્થગિત કરવાનો જ એક માત્ર રસ્તો હતો.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ઈન્ડિયન પ્રીમિયર લીગના બાયોબબલમાં ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે 14મી સિઝન 29 મેચ પછી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવી પડી છે. જે અંગે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે   ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસૈનને લાગે છે કે, ભારતના બોર્ડ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો પણ નહીં.

નાસિર હુસૈને કહ્યું, ભારતમાં જે સ્થિતિ છે તેની ખેલાડીઓ અવગણના કરી શકે તેમ પણ નહોતા.હા તેઓ પોતાનો સહયોગ અને દાન આપી રહ્યા હતા પણ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં આઈપીએલને સ્થગિત કરવાનો જ એક માત્ર રસ્તો હતો.

હુસૈને બ્રિટિશ અખબારમાં પોતાની કોલમમાં લખ્યુ હતુ કે, ક્રિકેટરોના બાયોબબલમાં પણ ઠેક ઠેકાણે ગાબડા પડી ચુક્યા હતા.ક્રિકેટરો પણ મૂરખ કે અસંવેદનશીલ નથી.તેઓ પણ ટીવી પર જોઈ શકતા હતા કે કેવી રીતે લોકો હોસ્પિટલ બેડ માટે આજીજીઓ કરી રહ્યા હતા.તેઓ જોઈ રહ્યા હતા કે, એક તરફ એમ્બ્યુલન્સની કમી છે અને બીજી તરફ તેમના માટે એમ્બ્યુલન્સ મેદાન બહાર મુકી રખાઈ છે.આવામાં ક્રિકેટરો પણ વિચારતા હશે કે, શું ક્રિકેટ રમવુ યોગ્ય છે.આ સ્થિતિ તેમના માટે બહુ અસહજ હતી.

હુસૈને કહ્યુ હતુ કે, 2020ની જેમ આઈપીએલનુ આયોજન યુએઈમાં કરાવવાની જરુર હતી.ભારતમાં આઈપીએલનુ આયોજન મોટી ભૂલ હતી.ગયા વર્ષે યુએઈમાં કોરોનાના થોડા ઘણા કેસ હતા પણ આઈપીએલના આયોજન પર તેની અસર પડી નહોતી.ઉપરાંત ક્રિકેટરો માટેના બાયોબબલ સાથે પણ કોઈ સમાધાન નહોતુ થયુ.

 દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731

કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229

કુલ મોત - 2 લાખ 26 હજાર 188

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Embed widget