શોધખોળ કરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
બીપીના દર્દીઓ પોતાના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. કેટલાક દર્દીઓ બીપીની દવાઓ પણ લે છે, જે ખતરનાક બની શકે છે. જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થવાનો ખતરો રહે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

બીપીના દર્દીઓ પોતાના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. કેટલાક દર્દીઓ બીપીની દવાઓ પણ લે છે, જે ખતરનાક બની શકે છે. જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થવાનો ખતરો રહે છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને બિનઆરોગ્યપ્રદ ખાનપાન તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કારણે બ્લડપ્રેશર એટલે કે બીપીની સમસ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો અંદાજ છે કે ભારતમાં ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. જૂન 2023માં પ્રકાશિત ICMR-India ડાયાબિટીસ અભ્યાસમાં જાણવા મળ્યું કે દેશમાં 3.15 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે.
2/6

બીપીના દર્દીઓ તેમના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે. કેટલાક દર્દીઓ બીપીની દવાઓ પણ લે છે, જે ખતરનાક બની શકે છે. જેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થવાનો ખતરો રહે છે. તેથી જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.
3/6

તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે વપરાતી દવા અચાનક કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારી શકે છે. આ અભ્યાસમાં દવાનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. અભ્યાસ કહે છે કે અચાનક કાર્ડિયાક અરેસ્ટ એ ગંભીર તબીબી કટોકટી છે, જ્યારે હૃદય ધબકારા બંધ કરી દે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ અટકી જાય છે. આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે.
4/6

યુરોપિયન સડન કાર્ડિયાક એરેસ્ટ નેટવર્કના સંશોધકો દ્વારા અભ્યાસમાં બે દવાઓ નિફેડિપિન અને એમ્લોડિપિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને દવાઓ હાઈ બ્લડ પ્રેશર અને છાતીના દુખાવામાં વપરાય છે. સંશોધકોએ 2,503 SCA દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું અને નેધરલેન્ડના 10,543 સ્વસ્થ લોકો સાથે તેની સરખામણી કરી હતી જેમાં મળેલા પરિણામો તદ્દન ચોંકાવનારા હતા
5/6

એવું જાણવા મળ્યું હતું કે નિફેડિપિનની દરરોજ માત્ર 60 મિલિગ્રામની માત્રા ખતરનાક બની શકે છે. આટલી માત્રામાં દવા લેનારાઓમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ ઘણું ઊંચું હતું, જ્યારે એમ્લોડિપાઇન સાથે આવું કોઈ જોખમ જોવા મળ્યું નથી.
6/6

સંશોધકોએ તેમનો અભ્યાસ માત્ર બે દવાઓ પર કર્યો હતો. તેમણે ડોકટરોને નિફેડિપિનના હાઇ ડોઝ અંગે સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને હૃદયના દર્દીઓ માટે. આ સાથે દર્દીઓને આ લક્ષણો પર નજર રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા ઉબકા જેવી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, અભ્યાસોએ કોઈપણ સારવારના ફાયદા અને જોખમો દર્શાવ્યા છે. સંશોધકો માને છે કે આવી અન્ય દવાઓ અંગે હજુ અભ્યાસની જરૂર છે.
Published at : 19 Nov 2024 02:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
