શોધખોળ કરો

IPL 2024: CSK ને લાગ્યો મોટો ઝટકો, કૉનવે બાદ આ સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત 

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે.

Matheesha Pathirana Injury Update: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા એમએસ ધોનીની ટીમ એક પછી એક ઝટકાઓનો સામનો કરી રહી છે. પ્રથમ ઓપનર ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત થયો હતો અને મે સુધી ટુર્નામેન્ટમાંથી બહાર હતો. હવે ટીમની સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના પણ ઈજાગ્રસ્ત થયો છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના ડાબા પગમાં 'ગ્રેડ એક હેમસ્ટ્રિંગ' સ્ટ્રેઈનથી પીડાઈ રહ્યો છે. શ્રીલંકાના આ બોલરને 6 માર્ચે સિલહટમાં બાંગ્લાદેશ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ દરમિયાન આ ઈજા થઈ હતી, જેના કારણે તે પોતાનો સ્પેલ પણ પૂરો કરી શક્યો ન હતો અને મેદાનની બહાર ગયો હતો.

નોંધનીય છે કે પથિરાના બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં પણ રમી શક્યો ન હતો. જો કે, શ્રીલંકા ક્રિકેટે તે ક્યારે ફિટ થશે તે અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, ન તો તબીબી ટીમે તેની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

ઘણા મીડિયા અહેવાલોમાં, આઈપીએલના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગ્રેડ એક હેમસ્ટ્રિંગ સ્ટ્રેઈનમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગે છે. આથી હવે જોવાનું એ રહે છે કે મથીશા પથિરાના ક્યારે ટીમ સાથે જોડાય છે. આ સમયે તે કહેવું ઘણું મુશ્કેલ હશે કે તે શરૂઆતની કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે કે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સના છેલ્લા આઈપીએલ ખિતાબમાં પથિરાનાએ મોટી ભૂમિકા ભજવી હતી, તેણે 12 મેચમાં 19 વિકેટ લીધી હતી. ધોની આ બોલરનો છેલ્લી ઓવરોમાં સારી રીતે ઉપયોગ કરે છે અને આ યુવા બોલર પણ પોતાના કેપ્ટનના ભરોસા પર ખરા ઉતરે છે.

ચેન્નાઈનો ઓપનર ડેવોન કૉનવે આઈપીએલનો ઓછામાં ઓછો પ્રથમ હાફ રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમી રહ્યો નથી. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
           
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Embed widget