શોધખોળ કરો

Indian Team: આવનારા સમયમાં આ 3 ફાસ્ટ બોલર બનશે ભારતના સુપરસ્ટાર, ઈશાંત શર્માએ કરી ભવિષ્યવાણી

Ishant Sharma On Indian Future Bowlers: ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા છેલ્લા લગભગ 2 વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઇશાંત આ વર્ષે રમાયેલી IPL 16માં રમતા જોવા મળ્યો હતો.

Ishant Sharma On Indian Future Bowlers: ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા છેલ્લા લગભગ 2 વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઇશાંત આ વર્ષે રમાયેલી IPL 16માં રમતા જોવા મળ્યો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલરોની વાત કરીએ તો જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઘણા યુવા બોલરોને તક આપવામાં આવી છે. આ દરમિયાન ઈશાંત શર્માએ તે 3 ભારતીય ઝડપી બોલરો વિશે જણાવ્યું, જેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ભવિષ્યના સુપરસ્ટાર બની શકે છે.

ઇશાંત શર્માએ આ વિશે યુટ્યુબ ચેનલ 'બીયરબાઈસેપ્સ' પર વાત કરી હતી. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું,જો તમે તેની સાથે યોગ્ય રીતે કામ કરો છો તો ઉમરાન મલિકમાં દેશ માટે લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. આમાં બીજો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ  છે. તે જ સમયે, ઇશાંત શર્માએ ત્રીજા બોલર તરીકે દિલ્હી કેપિટલ્સના મુકેશ કુમારની પસંદગી કરી છે. ઈશાંત શર્મા પણ આઈપીએલ 2023માં દિલ્હી તરફથી રમ્યો હતો.

યોગ્ય માર્ગદર્શનની જરૂર છેઃ ઈશાંત શર્મા

મુકેશ વિશે વાત કરતા ઈશાંત શર્માએ કહ્યું, ઘણા લોકો તેની કહાની નથી જાણતા, પરંતુ મેં તેના જેવો સરળ વ્યક્તિ ક્યારેય જોયો નથી. જો તમે તેને કોઈ ખાસ બોલ નાખવા માટે કહો છો, તો તે માત્ર તે જ બોલ ફેંકે છે. તેને મેદાન પર યોગ્ય માર્ગદર્શનની જરૂર છે, જેથી તે જાણી શકે કે દબાણની સ્થિતિમાં કયો બોલ ફેંકવો.

ઇશાંત શર્માએ જણાવ્યું કે ગત IPLમાં તે કેમ મોંઘો સાબિત થયો હતો. મુકેશ કુમારે IPL 2023ની 10 મેચોમાં માત્ર 7 વિકેટ લીધી, 10થી વધુની ઈકોનોમી સાથે રન આપ્યા હતા. આ અંગે ઈશાંતે કહ્યું, આઈપીએલમાં તેની સામે રન એટલા માટે બનાવ્યા કારણ કે તેણે મુશ્કેલ ઓવરો ફેંકી હતી. તેણે કઈ પરિસ્થિતિમાં બોલિંગ કરી અથવા કયા બેટ્સમેનની સામે બોલિંગ કરી તે કોઈ જોતું નથી. બધાએ જોયું કે તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા.

રોહિત શર્મા હટાવાશે ને આ અનુભવીને સોંપાશે ટીમની કમાન ? BCCIએ આપ્યા સંકેત

 ભારતીય ટીમની રમત અને કેપ્ટનશીપની અત્યારે તમામ ફેન્સ ટીકા કરી રહ્યું છે. સતત બીજીવાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર મળ્યા બાદ ખરાબ રણનીતિ અને કેપ્ટનને હટાવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ગયા વર્ષે વિરાટ કોહલી અને આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ચેમ્પીયન બનતા રહી ગઇ છે.હાર બાદથી જ ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે રોહિત શર્મા માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રવાસ માટે ટીમની પસંદગી થઈ ગઈ છે અને તેમાં આગામી કેપ્ટનના સંકેતો છુપાયેલા છે. 

બીસીસીઆઈએ શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. 2 મેચોની ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ટીમને લઈને કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં એવો નિર્ણય પણ આવ્યો કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ચેતેશ્વર પુજારાને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો અને આનીથી એવો સંકેત પણ મળ્યો છે કે, રોહિત શર્મા હવે આગામી કેપ્ટન તરીકે નહીં રહે.  

સિલેક્ટરોએ ઇન્ડિયન પ્રીમિયર લીગ પછી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમમાં પાછા ફરવા માટે આઉટ ઓફ ફેવર અજિંક્ય રહાણેને તક આપી હતી. માત્ર 1 મેચ બાદ તેને ફરીથી વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.. બીસીસીઆઈ આ ખેલાડી પર આટલો ભરોસો દર્શાવે છે તે માત્ર એક જ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે, આગામી સમયમાં રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન પદેથી હટાવીને અનુભવી સ્ટાર બેટ્સમેન અજિંક્યે રહાણેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. BCCI હવે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કરવા માંગે છે. હાર્દિક પંડ્યા પહેલાથી જ ટી-20માં મોટાભાગની મેચોની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે તેને ટેસ્ટ મેચોમાં પણ સુકાનીપદથી રાહત મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ અજિંક્ય રહાણેને આ જવાબદારી આપવામાં આવી શકે છે. 

ICC ODI વર્લ્ડકપ પર વધુ ધ્યાન આપવા માટે, BCCI નક્કી કરી શકે છે કે રોહિત શર્મા બંને ફોર્મેટની કેપ્ટનશિપમાંથી મુક્ત રહેશે. હાર્દિક પંડ્યા T20ની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે, અજિંક્ય રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવો જોઈએ. અચાનક ટીમમાં વાપસીની તક આપવી અને પછી તેને ઉપ-કેપ્ટન બનાવવો એ કોઈ સંયોગ નથી.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget