શોધખોળ કરો

T20 World Cup પહેલાં જસપ્રીત બુમરાહ વિશે ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, જાણો અપડેટ

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

Jasprit Bumrah Injury Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બુમરાહને ઈજામાંથી સાજા થવામાં વધુ સમય લાગશે નહીં. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સીરીઝમાં બુમરાહે લાંબા સમય બાદ વાપસી કરી હતી. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ પહેલા તેનું ફરી એકવાર ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. ચાલો જાણીએ કે, બુમરાહની ઈજાને લઈને શું છે અપડેટ.

જલ્દી ઠીક થઈ જશે બુમરાહઃ

તમને જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. આ વિશે કહેવામાં આવ્યું કે, “આ દિવસોમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને BCCIની મેડિકલ ટીમે તેનું સ્કેનિંગ કર્યું છે. આ પ્રક્રિયા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહમાં સ્ટ્રેસ ફેક્ચર નથી, પરંતુ સ્ટ્રેસ રિએક્શન છે.

આવી ઇજાઓ જલ્દી મટી જાય છે

આ પ્રકારની ઇજામાંથી રિકવર થવામાં વધુ સમય લાગતો નથી. આવી ઈજાથી છુટકારો મેળવવા માટે 4-6 અઠવાડિયા પૂરતા હોય છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો 15 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ આ પહેલા ફિટ થઈ શકશે કે નહીં. બુમરાહ વિના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ વિભાગ ઘણો નબળો દેખાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચમાં ટીમ પર જીત માટે વધુ દબાણ રહેશે કારણ કે છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો...

Road Safety World Series Final: India Legends ફરીથી બની ચેમ્પિયન, ફાઇનલમાં Sri Lanka Legendsને 33 રનથી હરાવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget