![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND Vs ENG: રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે નથી જોડાયો બુમરાહ, રમવા પર સસ્પેન્સ
ઈંગ્લેન્ડ સામે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રમવા પર સસ્પેન્સ છે. જસપ્રીત બુમરાહ મેચના એક દિવસ પહેલા સુધી રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ન હતો.
![IND Vs ENG: રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે નથી જોડાયો બુમરાહ, રમવા પર સસ્પેન્સ jasprit bumrah yet to join team india camp in rajkot not sure being part of playing 11 IND Vs ENG: રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે નથી જોડાયો બુમરાહ, રમવા પર સસ્પેન્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/26f5f04b7eab4c98b0e25b9efc40bf5a1707842039264127_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND Vs ENG: ઈંગ્લેન્ડ સામે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રમવા પર સસ્પેન્સ છે. જસપ્રીત બુમરાહ મેચના એક દિવસ પહેલા સુધી રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ન હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ સતત પ્રેક્ટિસ સેશન્સ ગુમાવી રહ્યો છે. જોકે, બુમરાહ ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ 11નો ભાગ હશે કે કેમ તે અંગેનું ચિત્ર બુધવારે સ્પષ્ટ થઈ શકે છે. મિડલ ઓર્ડરમાં અનુભવના અભાવને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ પણ 5ને બદલે 4 બોલરો સાથે મેદાનમાં ઉતરવાનું વિચારી રહ્યું છે.
6 દિવસના વિરામ બાદ ભારતીય ખેલાડીઓ 11 ફેબ્રુઆરીએ જ રાજકોટ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 11 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ બુમરાહ હજુ સુધી પ્રેક્ટિસ કેમ્પનો ભાગ બન્યો નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ બુધવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકે છે. શરૂઆતમાં એવું બહાર આવ્યું હતું કે જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવશે. પરંતુ બીજી અને ત્રીજી ટેસ્ટ દરમિયાન 10 દિવસના ગેપને કારણે જસપ્રીત બુમરાહના રમવાની શક્યતા વધી ગઈ છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે અને તેને ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે.
બુમરાહના રમવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી
હજુ સુધી જસપ્રિત બુમરાહની રમત પર ચિત્ર સ્પષ્ટ નથી. વિરાટ કોહલી અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપ ઘણી નબળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં બેટિંગ લાઇનઅપને મજબૂત કરવા માટે દેવદત્ત પડિકલને સરફરાઝ ખાન સાથે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. રવિન્દ્ર જાડેજા ફિટ છે અને વાપસી માટે તૈયાર છે. અશ્વિન અને જાડેજાના નંબર પહેલાથી જ કન્ફર્મ છે. જસપ્રીત બુમરાહ એકમાત્ર ઝડપી બોલર તરીકે રાજકોટની ટીમનો ભાગ બની શકે છે.
ટેસ્ટ સીરિઝની શું છે સ્થિતિ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સીરિઝની બે મેચ રમાઈ ચુકી છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે અને બીજી ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યો હતો. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)