શોધખોળ કરો

IND vs PAK: ભારત સામે હાર બાદ બાબર આઝમ બન્યો કિંગ કોહલીનો ફેન, જર્સી પર લીધા ઓટોગ્રાફ 

ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની કેપ્ટનશિપવાળી પાકિસ્તાનની ટીમને 7 વિકેટે હાર આપી હતી.  આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું.

Babar Azam's Fan Moment: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની કેપ્ટનશિપવાળી પાકિસ્તાનની ટીમને 7 વિકેટે હાર આપી હતી.  આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 86 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 6 સિક્સર સામેલ હતી. પરંતુ મેચ પુરી થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ કિંગ કોહલીના ફેન તરીકે દેખાયા હતા. મેચ હાર્યા બાદ બાબર આઝમે વિરાટ કોહલી પાસેથી જર્સી પર ઓટોગ્રાફ લીધો હતો.

બાબરના આ ફેન મોમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબર આઝમ અને વિરાટ કોહલી એકસાથે ઉભા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કિંગ કોહલીએ બાબર આઝમને ઓટોગ્રાફવાળી ભારતની જર્સી આપી હતી. આ વીડિયો પર ચાહકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી.

એક યુઝરે ખૂબ જ શાનદાર પ્રતિક્રિયા આપી અને લખ્યું, “બાબર આટલો ભાગ્યશાળી કેમ છે ? તે કિંગ કોહલીને જોઈ રહ્યો છે, જર્સી લઈ રહ્યો છે,  તેની સાથે રમે છે. બાબર આઝમની પ્રશંસા કરતા અન્ય એક યુઝરે લખ્યું, “બાબર ખૂબ જ વિનમ્ર છે. તે સિનિયર ક્રિકેટરોનું સન્માન કરે છે. ચાહકોએ પણ આવી જ પ્રતિક્રિયા આપી.

બાબરે ભારત વિરૂદ્ધ વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો

આજની મેચમાં બાબર આઝમે ભારત સામે વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાની કેપ્ટને 50 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ માટે બાબરની ઇનિંગ્સ સૌથી મોટી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.  

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું  

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget