શોધખોળ કરો

WC: નેધરલેન્ડ સામેની મેચમાં ભારતની Playing 11 બદલાશે ? કેપ્ટન રોહિત શર્માએ કરી સ્પષ્ટતા

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2023માં જોરદાર પ્રદર્શન કરી રહી છે, અને નંબર વનની પૉઝિશન સાથે સેમિ ફાઇનલમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે.

Rohit Sharma ICC ODI World Cup 2023: ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2023માં જોરદાર પ્રદર્શન કરી રહી છે, અને નંબર વનની પૉઝિશન સાથે સેમિ ફાઇનલમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે. ભારતે વનડે વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 8 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા માટે બૉલર અને બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારત પૉઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે અને સેમિ ફાઈનલ માટે ક્વૉલિફાઈ થઈ ચૂક્યું છે. વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની એક મેચ બાકી છે. જે તેને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમવાનું છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ આગામી મેચો માટે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માએ કહી આ વાત 
દક્ષિણ આફ્રિકા સામેની મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે બૉલરોએ શાનદાર બૉલિંગ કરી. મોહમ્મદ શમીએ જે રીતે વાપસી કરી છે. જે તેમની માનસિકતા દર્શાવે છે. રવિન્દ્ર જાડેજા અમારા માટે શાનદાર રહ્યો છે. તે વર્ષોથી દરેક ફોર્મેટમાં રમી રહ્યો છે. આજે એ ક્લાસિક કિસ્સો હતો કે જાડેજા આપણા માટે શું છે? ડેથ ઓવરોમાં આવ્યો અને મહત્વપૂર્ણ રન બનાવ્યા. પછી વિકેટ લીધી. તે તેની ભૂમિકા જાણે છે અને જાણે છે કે ટીમ તેની પાસેથી શું ઈચ્છે છે. આ પછી રોહિત શર્માએ કહ્યું કે કેટલીક મોટી મેચો આવી રહી છે અને અમે કોઇપણ જાતનો ફેરફાર કરવા માંગતા નથી. એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારી મેચોમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. જે ખેલાડીઓ હાલમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં રમી રહ્યા છે. માત્ર તેઓને વધુ તક મળી શકે છે.

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે શુભમન ગીલ અને હું લાંબા સમયથી સાથે બેટિંગ કરી રહ્યા છીએ. અમે દબાણને અમારા પર હાવી થવા દઈએ છીએ. અમે અગાઉથી કંઈપણ આયોજન કરતા નથી. અમે ફક્ત મૂલ્યાંકન કરીએ છીએ અને તે મુજબ રમીએ છીએ.

આ બે ખેલાડીઓએ કર્યુ કમાલનું પ્રદર્શન 
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે વનડે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી. આ બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડકપ 2023ની ચાર મેચમાં અત્યાર સુધી 16 વિકેટો ઝડપી છે.

છેલ્લા 10 વર્ષથી નથી જીતી કોઇ ટ્રૉફી 
ભારતીય ટીમે છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રૉફી 2013નો ખિતાબ જીત્યો હતો. ત્યારથી ભારતીય ટીમ આઈસીસી ટ્રૉફી જીતી શકી નથી. વનડે વર્લ્ડકપ 2015 અને 2019ની સેમિ ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે ટાઈટલ જીતવાની તકો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget