શોધખોળ કરો

‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ ખેલાડીઓની કુશળતા અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી: કહ્યું ટીમની આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ ગયું

ભારતીય ક્રિકેટ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓની કુશળતા, દૃઢ નિશ્ચય અને ટીમવર્કની વિશેષ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ટીમની આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ ગયું છે. વધુમાં, તેમણે સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવવા બદલ ખેલાડીઓના વખાણ કરતા ઉમેર્યું કે આ વિજય સમગ્ર રાષ્ટ્ર માટે ઉજવણીની ક્ષણ છે.

નોંધનીયછે કે, અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2026 ની મહામુકાબલાની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી ધૂળ ચટાડીને ઐતિહાસિક જીત મેળવી છે. આ ભવ્ય વિજય સાથે ભારતે પોતાનો દબદબો જાળવી રાખીને સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઘરઆંગણે રમીને આ ટુર્નામેન્ટ જીતનાર ભારત વિશ્વની પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ખેલાડીઓએ રમતનાં દરેક પાસામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ મેચને એકતરફી બનાવી દીધી હતી અને વિશાળ 255 રનનો સ્કોર ઊભો કરીને કીવી ટીમને માત્ર 159 રનમાં સમેટી લીધી હતી.

તોફાની બેટિંગથી ખડક્યો રનનો પહાડ

મેચની શરૂઆતમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. યુવા ઓપનર અભિષેક શર્મા અને અનુભવી સંજુ સેમસને પહેલી વિકેટ માટે 98 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. અભિષેકે માત્ર 21 બોલ રમીને છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આક્રમક 52 રન ફટકાર્યા હતા. બીજી તરફ, સંજુ સેમસને પણ કીવી બોલરોનો પરસેવો છોડાવી દીધો હતો. તેણે 46 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ ગગનચુંબી છગ્ગા ફટકારીને 89 રન બનાવ્યા હતા. જોકે તે પોતાની સદીથી થોડા માટે ચૂકી ગયો હતો.

ત્યારબાદ મેદાનમાં આવેલા ઈશાન કિશને પણ જબરદસ્ત ફોર્મ બતાવતા માત્ર 25 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો, જ્યારે તિલક વર્માએ છ બોલમાં 8 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર 8 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 26 રન ઝૂડી કાઢ્યા હતા. હાર્દિકે પણ 13 બોલમાં 18 રન બનાવતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમ્સ નીશમે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ ખૂબ જ દબાણમાં જોવા મળી હતી. ટિમ સીફર્ટ અને ફિન એલને શરૂઆતમાં થોડી આક્રમકતા બતાવીને 31 રન જોડ્યા, પરંતુ પહેલી વિકેટ પડતાની સાથે જ આખી ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. કીવી ટીમ તરફથી માત્ર ટિમ સીફર્ટે થોડો સંઘર્ષ કર્યો હતો અને 26 બોલમાં બે ચોગ્ગા તેમજ પાંચ છગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ તો માત્ર 72 રનના નજીવા સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. તેમના સાત ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 35 બોલમાં 43 રન અને ડેરિલ મિશેલે 11 બોલમાં 17 રન બનાવીને હારનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રન પર જ સમેટાઈ ગઈ હતી.

બુમરાહ અને અક્ષરની ઘાતક બોલિંગ

ભારતીય બોલરોએ મેદાનમાં પોતાની ફિરકી અને ઝડપનો એવો જાદુ ચલાવ્યો કે મહેમાન ટીમ પાસે કોઈ જવાબ ન હતો. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી અને સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત સ્પિનર અક્ષર પટેલે પણ શાનદાર બોલિંગ કરતા 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ફાઇનલ મુકાબલામાં 96 રનથી મળેલો આ વિજય ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે. આ ભવ્ય જીત સાથે જ આખા દેશમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિરાટ કોહલી આ પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો? ખુદ પોર્ન સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
વિરાટ કોહલી આ પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો? ખુદ પોર્ન સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
BCCI ની નવી એડવાઈઝરી: હવે નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ખેલાડીઓને દંડથી લઈને પ્રતિબંધ સુધીની સજા 
BCCI ની નવી એડવાઈઝરી: હવે નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ખેલાડીઓને દંડથી લઈને પ્રતિબંધ સુધીની સજા 
ICC T20 Rankings: ક્યાં પહોંચી ગઇ આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ? ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન કયા નંબર પર, જાણો
ICC T20 Rankings: ક્યાં પહોંચી ગઇ આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ? ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન કયા નંબર પર, જાણો
Amanpreet Singh Gill Dies: માત્ર 36 વર્ષની ઉંમરમાં આ પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
Amanpreet Singh Gill Dies: માત્ર 36 વર્ષની ઉંમરમાં આ પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
Advertisement

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Embed widget