શોધખોળ કરો

Rahul Dravid Birthday: 'આ રિપોર્ટરને બહાર કાઢો...', જ્યારે પાકિસ્તાનમાં આવ્યો હતો રાહુલ દ્રવિડને ગુસ્સો

આ ઘટના 2004માં ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસ પર બની હતી

Rahul Dravid Birthday: આજે (11 જાન્યુઆરી) ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો જન્મદિવસ છે. ધ વોલ તરીકે પ્રખ્યાત દ્રવિડ 50 વર્ષના થઈ ગયા છે. રમત જગતના દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત ચાહકોએ પણ અલગ અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે. 1973માં ઈન્દોરમાં જન્મેલા દ્રવિડની પોતાની એક અલગ શૈલી છે અને તે તેના શાંત વર્તન માટે જાણીતો છે.

પરંતુ શું ચાહકોને ખબર છે કે દ્રવિડને પણ ગુસ્સો આવે છે? રાહુલ દ્રવિડને એકવાર પાકિસ્તાન પ્રવાસ પર ગુસ્સો આવ્યો હતો. આ ગુસ્સો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આવ્યો હતો. તે સમયે રાહુલ દ્રવિડે એક પત્રકારને બહાર કાઢી મુકવાની વાત કરી હતી.

મેચ ફિક્સિંગના નામે દ્રવિડને ગુસ્સો આવ્યો

આ ઘટના 2004માં ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસ પર બની હતી. ત્યારબાદ ટેસ્ટ સીરીઝમાં દ્રવિડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 મેચની 4 ઇનિંગ્સમાં 309 રન બનાવ્યા. આ જ પાકિસ્તાન પ્રવાસ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે મેચ ફિક્સિંગ અંગે સવાલ કર્યો હતો.

આના પર ટીમ ઈન્ડિયાના ‘વોલ’ ગણાતા રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. પછી દ્રવિડે જાહેરમાં કહ્યું, 'કોઈ આ વ્યક્તિને (રિપોર્ટર) બહાર કાઢો. આ બકવાસ છે અને આવી વસ્તુઓ રમત માટે ખરાબ છે.

ઇંગ્લેન્ડ સામે બીજી વખત ગુસ્સો આવ્યો

એવું નથી કે આ પહેલીવાર દ્રવિડ ગુસ્સે થયો છે. આ પછી એક વાર 2006માં રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થયો હતો. આ ઘટના ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ દરમિયાન બની હતી. તે શ્રેણીમાં દ્રવિડ ટીમનો કેપ્ટન હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.

આ હારથી નારાજ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ખુરશી ફેંકી દીધી હતી. વાસ્તવમાં આ જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં દ્રવિડ હાર સહન ન કરી શક્યો અને ગુસ્સે થઈ ગયો.

રાહુલ દ્રવિડની ક્રિકેટ કારકિર્દી

164 ટેસ્ટ - 13288 રન - 36 સદી - 63 અડધી સદી

344 વનડે - 10889 રન - 12 સદી - 83 અડધી સદી

1 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ - 31 રન

 

દ્રવિડે ગાંગુલી સાથે ડેબ્યુ કર્યું હતું

રાહુલ દ્રવિડ અને અન્ય ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંનેએ 1996માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી જ્યારે દ્રવિડ માત્ર પાંચ રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ 2002માં દ્રવિડે સતત ચાર ટેસ્ટ સદી ફટકારી હતી

ટીમ ઈન્ડિયાના માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં 10,000થી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર સિવાય દ્રવિડે 13,288 ટેસ્ટ રન બનાવ્યા છે, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. દ્રવિડે વનડેમાં 10,889 રન બનાવ્યા છે. જેમાં તેની 12 સદી સામેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget