શોધખોળ કરો

તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ

બન્ને ખેલાડીઓ ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં ચેન્નાઇમાં હતા, અને સાથે થયેલી જાહેરાતથી ફેન્સમાં તર્કવિતર્ક શરૂ થઇ ચૂક્યા હતા. આને લઇને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ છે, જેમાં બન્નેના રિટાયરમેન્ટ પાછળનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ શનિવારે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ, બન્નેના આ અચાનકના સન્યાસ પાછળ બધા ચોંકયા. મહેન્દ્ર સિંહ ધોની ગઇકાલે ક્રિકેટથી દુર થઇ ગયો, તેને સાંજે 7.29 મિનીટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયમેન્ટની જાહેરાત કરી દીધી. તેને સોશ્યલ મીડિયા પર લખ્યું- ધન્યવાદ, તે પ્રેમ અને સમર્થન માટે. ખુબ ખુબ ધન્યવાદ. આજે સાત વાગેને 29 મિનીટે મને રિટાયર સમજો. બસ, ત્યારબાદ ગણતરીની મિનીટોમાં જ સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. બન્નેએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી. બન્ને ખેલાડીઓ ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં ચેન્નાઇમાં હતા, અને સાથે થયેલી જાહેરાતથી ફેન્સમાં તર્કવિતર્ક શરૂ થઇ ચૂક્યા હતા. આને લઇને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ છે, જેમાં બન્નેના રિટાયરમેન્ટ પાછળનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે. વાયરલ પૉસ્ટમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળનુ કારણ સ્વતંત્રતાના 73માં વર્ષ સાથે જોડાયેલુ છે. ભારતના પૂર્વ કેપ્ટન ધોનીની જર્સી નંબર 7 છે, અને રૈનાની જર્સીન નંબર 3 છે. બન્ને ટીમ ઇન્ડિયામાં આ નંબરની જર્સી પહેરે છે. જો આ બન્ને આંકડા જોડાઇ જાય તો આ 73 થઇ જાય છે. આમ આ કારણ સામે આવી રહ્યું છે.
ધોની અને રૈના હાલ ચેન્નાઇમાં સીએસકેના કેમ્પમાં છે. પ્રી-સિઝન કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે. આ કેમ્પ 15 ઓગસ્ટથી શરૂ થયો છે અને આ મહિનાની 20 તારીખે પુરો થઇ જશે. આ પછી ટીમ આઇપીએલ માટે યુએઇ રવાના થશે. ભારતમાં ખતરનાક કોરોના વાયરસના કારણે આ વખતની આઇપીએલ 13 સિઝન યુએઇમાં રમાવવાની છે, જેનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી કરવામાં આવશે.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે. તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget