શોધખોળ કરો

ઓલિમ્પિક 2028 અંગે સૂર્યાનું કયું નિવેદન ગંભીરને ન ગમ્યું? કેપ્ટન પદેથી હટાવવાની ઇનસાઇડ સ્ટોરી

Suryakumar Yadav captaincy controversy: શ્રેયસ ઐયરને સોંપાઈ T20 ની કમાન; 2028 ઓલિમ્પિક અને વર્લ્ડ કપ અંગે સૂર્યાના નિવેદનથી કોચ ગંભીર નારાજ હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યકુમાર યાદવની T20 કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ ઐયરને કમાન.
  • મુખ્ય કોચ ગૌતમ ગંભીરને સૂર્યાનું 'ઘમંડી નિવેદન' પસંદ નહોતું આવ્યું.
  • ગંભીરે કહ્યું, કેપ્ટનશીપ પ્રદર્શન પર નિર્ભર, ભવિષ્યની વાતો પર નહીં.
  • સૂર્યકુમાર યાદવ લાંબા સમયથી બેટિંગમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા.

Suryakumar Yadav captaincy controversy: ભારતીય T20 ક્રિકેટ ટીમમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ શ્રેયસ ઐયરને નવી કમાન સોંપવામાં આવી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સૂર્યાને તેના ખરાબ ફોર્મના કારણે કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે, પરંતુ હવે આ મામલે એક મોટી અંદરની વાર્તા (ઈનસાઇડ સ્ટોરી) બહાર આવી છે. રિપોર્ટ્સ મુજબ, સૂર્યકુમારના એક 'ઘમંડી નિવેદન'ના કારણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર નારાજ થઈ ગયા હતા અને પરિણામે સૂર્યાએ પોતાની કેપ્ટનશીપ ગુમાવવી પડી છે.

સૂર્યાનું એ નિવેદન જે ગંભીરને પસંદ નહોતું આવ્યું

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ગૌતમ ગંભીરે પસંદગીકારો (સિલેક્ટર્સ) સાથે મળીને સૂર્યાને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. આ પાછળનું મુખ્ય કારણ સૂર્યાનું એક નિવેદન હતું. થોડા સમય પહેલા જ સૂર્યાએ નિવેદન આપ્યું હતું કે તે 2028 માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભારતીય ક્રિકેટ ટીમને ગોલ્ડ મેડલ અપાવવા માંગે છે. સાથે જ તેણે 2028 ના T20 વર્લ્ડ કપ જીતવા વિશે પણ મોટી મોટી વાતો કરી હતી. અહેવાલો મુજબ, ગૌતમ ગંભીરને સૂર્યાનું આ ઓવર-કોન્ફિડન્સ વાળું 'ઘમંડી નિવેદન' જરાય પસંદ નહોતું આવ્યું. ગંભીરે સૂર્યાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ટીમમાં તેનું સ્થાન અને કેપ્ટનશીપ માત્ર તેના તાજેતરના પ્રદર્શન પર જ આધારિત રહેશે, ભવિષ્યની વાતો કરવાથી નહીં.

લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો સૂર્યા

નિવેદન સિવાય, સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી બેટિંગમાં ખરાબ ફોર્મ સામે પણ ઝઝૂમી રહ્યો હતો. ભલે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2026 નો T20 વર્લ્ડ કપ જીત્યો હોય, પરંતુ એક બેટ્સમેન તરીકે તેનું અંગત પ્રદર્શન કંઈ ખાસ પ્રભાવશાળી નહોતું. આ ઉપરાંત, તાજેતરમાં જ પૂરી થયેલી IPL 2026 માં પણ સૂર્યાનું બેટ સાવ શાંત રહ્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં તેણે માત્ર 20.77 ની સરેરાશથી 270 રન જ બનાવ્યા હતા, જે 2017 પછી IPL માં તેનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

સૂર્યકુમાર યાદવની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે, પરંતુ તેને સૌથી વધુ સફળતા T20 ફોર્મેટમાં જ મળી છે. તેણે અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 37 વનડે અને 113 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. પોતાની એકમાત્ર ટેસ્ટમાં તેણે 8 રન બનાવ્યા હતા. જ્યારે 35 વનડે ઇનિંગ્સમાં 4 અડધી સદીની મદદથી 773 રન બનાવ્યા છે. પોતાના સૌથી મજબૂત ફોર્મેટ એટલે કે 107 T20 ઇનિંગ્સમાં સૂર્યાએ 36.35 ની શાનદાર સરેરાશ અને 162.94 ના સ્ટ્રાઇક રેટથી 3272 રન ફટકાર્યા છે, જેમાં 4 સદી અને 25 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

Frequently Asked Questions

સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટનશીપ પરથી શા માટે હટાવવામાં આવ્યા?

સૂર્યકુમારને તેના 'ઘમંડી નિવેદન' અને લાંબા સમયથી ચાલી રહેલા ખરાબ ફોર્મને કારણે T20 કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યા. મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેમના નિવેદનથી નારાજ હતા.

ભારતીય T20 ટીમના નવા કેપ્ટન કોણ છે?

સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ શ્રેયસ ઐયરને ભારતીય T20 ટીમની નવી કમાન સોંપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવનું કયું નિવેદન ગૌતમ ગંભીરને પસંદ નહોતું આવ્યું?

સૂર્યાએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને T20 વર્લ્ડ કપ જીતવા વિશે નિવેદન આપ્યું હતું. ગૌતમ ગંભીરને આ ઓવર-કોન્ફિડન્સવાળું નિવેદન પસંદ નહોતું આવ્યું.

કેપ્ટનશીપ ગુમાવવામાં સૂર્યકુમારના ખરાબ ફોર્મનો શું ફાળો હતો?

સૂર્યકુમાર ઘણા સમયથી બેટિંગમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા. IPL 2026 માં પણ તેમનું બેટ સાવ શાંત રહ્યું હતું, જે તેમનું 2017 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

સૂર્યકુમાર યાદવનો T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો રેકોર્ડ કેવો છે?

સૂર્યકુમાર યાદવે 107 T20 ઇનિંગ્સમાં 36.35 ની સરેરાશથી 3272 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 25 અડધી સદીનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget