શોધખોળ કરો

ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

India squad vs Afghanistan: અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થતી વનડે શ્રેણી માટે રોહિત, વિરાટ, હાર્દિક સહિત 7 નવા ખેલાડીઓની એન્ટ્રી; વિરાટ કોહલીની ઈજાને લઈને હજુ સસ્પેન્સ યથાવત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટીમે ટેસ્ટ જીત્યા બાદ વનડે માટે 7 ખેલાડી બદલ્યા.
  • BCCIની પૂર્વ-યોજના મુજબ ફોર્મેટ નિષ્ણાતોની ટીમમાં ફેરફાર કરાયો.
  • કોહલી ઇજાગ્રસ્ત છે, રોહિત-હાર્દિકની ફિટનેસ પર સવાલ છે.

India squad vs Afghanistan: ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 1 ઇનિંગ અને 300 રનથી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે (ODI) સિરીઝ રમાવા જઈ રહી છે. પરંતુ આ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં સંપૂર્ણપણે ફેરબદલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમનો હિસ્સો રહેલા 7 યુવા અને દિગ્ગજ ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, અને તેમની જગ્યાએ વનડે સ્પેશિયાલિસ્ટ 7 નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

કેમ કરવામાં આવ્યો 7 ખેલાડીઓનો ફેરફાર?

હકીકતમાં, BCCI દ્વારા આ ટૂર માટે અગાઉથી જ એવી રીતે ટીમની પસંદગી કરવામાં આવી હતી કે 8 ખેલાડીઓ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં રમશે, જ્યારે બાકીના 7-7 ખેલાડીઓ માત્ર કોઈ એક જ ફોર્મેટ પૂરતા મર્યાદિત રહેશે. આ જ રણસર, ટેસ્ટ મેચ પૂરી થતાં જ 7 ખેલાડીઓ આપોઆપ ટીમમાંથી બહાર થઈ ગયા છે અને નવા 7 ખેલાડીઓ વનડે સિરીઝ માટે ટીમ સાથે જોડાઈ જશે.

વનડે સિરીઝમાંથી બહાર થયેલા 7 ખેલાડીઓ (ફક્ત ટેસ્ટ માટે હતા):

યશસ્વી જયસ્વાલ

સાંઈ સુદર્શન

ઋષભ પંત

દેવદત્ત પડિક્કલ

મોહમ્મદ સિરાજ

માનવ સુથાર

ધ્રુવ જુરેલ

વનડે સિરીઝ માટે એન્ટ્રી કરનાર 7 નવા ખેલાડીઓ:

રોહિત શર્મા

વિરાટ કોહલી

શ્રેયસ અય્યર

ઈશાન કિશન

હાર્દિક પંડ્યા

અર્શદીપ સિંહ

રાજકુમાર યાદવ

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

વિરાટ કોહલીની ફિટનેસ પર લટકતી તલવાર

ટીમની જાહેરાત વખતે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પણ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોહલી હાલ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે, જેના કારણે તે કદાચ આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જોકે, BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સિરીઝનું સંપૂર્ણ ટાઈમટેબલ:
પ્રથમ વનડે: 13 જૂન (શનિવાર), ધર્મશાલા

બીજી વનડે: 17 જૂન (બુધવાર), લખનૌ

ત્રીજી વનડે: 20 જૂન (શનિવાર), ચેન્નાઈ

(નોંધ: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડે સિરીઝમાં પણ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે.)

આ પણ વાંચોઃ શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

Frequently Asked Questions

અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે?

ટેસ્ટ સિરીઝ બાદ 7 ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ 7 નવા વનડે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.

ભારતીય ટીમમાં 7 ખેલાડીઓનો ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે?

BCCI એ પહેલેથી જ એવી યોજના બનાવી હતી કે કેટલાક ખેલાડીઓ માત્ર એક જ ફોર્મેટ રમશે. આ રણનીતિને કારણે, 7 ટેસ્ટ ખેલાડીઓ બહાર થયા અને 7 નવા વનડે સ્પેશિયાલિસ્ટ ટીમમાં જોડાયા.

વનડે સિરીઝમાં વિરાટ કોહલીની ઉપલબ્ધતા વિશે શું માહિતી છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યા છે અને કદાચ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. BCCI એ હજુ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સિરીઝ ક્યારે અને ક્યાં રમાશે?

પ્રથમ વનડે 13 જૂને ધર્મશાલામાં, બીજી વનડે 17 જૂને લખનૌમાં અને ત્રીજી વનડે 20 જૂને ચેન્નાઈમાં રમાશે. આ સિરીઝ ત્રણ મેચની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
Advertisement

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget