શોધખોળ કરો

ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

India squad vs Afghanistan: અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થતી વનડે શ્રેણી માટે રોહિત, વિરાટ, હાર્દિક સહિત 7 નવા ખેલાડીઓની એન્ટ્રી; વિરાટ કોહલીની ઈજાને લઈને હજુ સસ્પેન્સ યથાવત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટીમે ટેસ્ટ જીત્યા બાદ વનડે માટે 7 ખેલાડી બદલ્યા.
  • BCCIની પૂર્વ-યોજના મુજબ ફોર્મેટ નિષ્ણાતોની ટીમમાં ફેરફાર કરાયો.
  • કોહલી ઇજાગ્રસ્ત છે, રોહિત-હાર્દિકની ફિટનેસ પર સવાલ છે.

India squad vs Afghanistan: ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 1 ઇનિંગ અને 300 રનથી ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે (ODI) સિરીઝ રમાવા જઈ રહી છે. પરંતુ આ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં સંપૂર્ણપણે ફેરબદલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમનો હિસ્સો રહેલા 7 યુવા અને દિગ્ગજ ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, અને તેમની જગ્યાએ વનડે સ્પેશિયાલિસ્ટ 7 નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

કેમ કરવામાં આવ્યો 7 ખેલાડીઓનો ફેરફાર?

હકીકતમાં, BCCI દ્વારા આ ટૂર માટે અગાઉથી જ એવી રીતે ટીમની પસંદગી કરવામાં આવી હતી કે 8 ખેલાડીઓ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં રમશે, જ્યારે બાકીના 7-7 ખેલાડીઓ માત્ર કોઈ એક જ ફોર્મેટ પૂરતા મર્યાદિત રહેશે. આ જ રણસર, ટેસ્ટ મેચ પૂરી થતાં જ 7 ખેલાડીઓ આપોઆપ ટીમમાંથી બહાર થઈ ગયા છે અને નવા 7 ખેલાડીઓ વનડે સિરીઝ માટે ટીમ સાથે જોડાઈ જશે.

વનડે સિરીઝમાંથી બહાર થયેલા 7 ખેલાડીઓ (ફક્ત ટેસ્ટ માટે હતા):

યશસ્વી જયસ્વાલ

સાંઈ સુદર્શન

ઋષભ પંત

દેવદત્ત પડિક્કલ

મોહમ્મદ સિરાજ

માનવ સુથાર

ધ્રુવ જુરેલ

વનડે સિરીઝ માટે એન્ટ્રી કરનાર 7 નવા ખેલાડીઓ:

રોહિત શર્મા

વિરાટ કોહલી

શ્રેયસ અય્યર

ઈશાન કિશન

હાર્દિક પંડ્યા

અર્શદીપ સિંહ

રાજકુમાર યાદવ

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

વિરાટ કોહલીની ફિટનેસ પર લટકતી તલવાર

ટીમની જાહેરાત વખતે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ ઉપરાંત, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પણ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોહલી હાલ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે, જેના કારણે તે કદાચ આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ શકે છે. જોકે, BCCI દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સિરીઝનું સંપૂર્ણ ટાઈમટેબલ:
પ્રથમ વનડે: 13 જૂન (શનિવાર), ધર્મશાલા

બીજી વનડે: 17 જૂન (બુધવાર), લખનૌ

ત્રીજી વનડે: 20 જૂન (શનિવાર), ચેન્નાઈ

(નોંધ: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડે સિરીઝમાં પણ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે.)

આ પણ વાંચોઃ શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

Frequently Asked Questions

અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે?

ટેસ્ટ સિરીઝ બાદ 7 ખેલાડીઓને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ 7 નવા વનડે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.

ભારતીય ટીમમાં 7 ખેલાડીઓનો ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે?

BCCI એ પહેલેથી જ એવી યોજના બનાવી હતી કે કેટલાક ખેલાડીઓ માત્ર એક જ ફોર્મેટ રમશે. આ રણનીતિને કારણે, 7 ટેસ્ટ ખેલાડીઓ બહાર થયા અને 7 નવા વનડે સ્પેશિયાલિસ્ટ ટીમમાં જોડાયા.

વનડે સિરીઝમાં વિરાટ કોહલીની ઉપલબ્ધતા વિશે શું માહિતી છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યા છે અને કદાચ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. BCCI એ હજુ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સિરીઝ ક્યારે અને ક્યાં રમાશે?

પ્રથમ વનડે 13 જૂને ધર્મશાલામાં, બીજી વનડે 17 જૂને લખનૌમાં અને ત્રીજી વનડે 20 જૂને ચેન્નાઈમાં રમાશે. આ સિરીઝ ત્રણ મેચની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક
ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન
ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચમાં વરસાદનું સંકટ, જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચમાં વરસાદનું સંકટ, જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget