શોધખોળ કરો

Team India : કાંગારૂ સામે ઉંધે કાંધ પટકાયેલી ટીમ ઈન્ડિયા હવે ખુંખાર ટીમ સામે ટકરાશે

ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.

Indian Cricket Team Tour : ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની હારને ભૂલીને આગામી મિશન માટે તૈયારી કરશે. ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. ભારતીય ટીમના પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ સામે આવી ગયું છે. ભારત આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ હાલ કોઇ મેચ રમવાની નથી. લગભગ એક મહિના સુધી આરામ કર્યા બાદ ટીમે તેના આગામી મિશન માટે રવાના થશે. ભારતીય ટીમની યજમાની કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે.

ભારતીય ટીમ આવતા મહિનાની 12 તારીખથી એક નવું મિશન શરૂ કરવાની છે. ટીમ વેસ્ટ ઈન્ડિઝ સાથે તેના ઘર આંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ત્યાર બાદ તે ODI રમશે અને પછી T20 શ્રેણી સાથે પ્રવાસનો અંત કરશે.

ટેસ્ટ સિરિઝ

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈએ બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. પહેલી મેચ વિન્ડસર પાર્કમાં 12 થી 16 જુલાઈ દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ મેચ 20 થી 24 જુલાઈ દરમિયાન ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે.

વન ડે સિરિઝ

આ પછી, ભારતીય ટીમે 27 જુલાઈથી 3 વનડે મેચોની શ્રેણી શરૂ કરવાની છે. બીજી વનડે 29 જુલાઈએ રમાશે. પ્રથમ બે વનડે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ 01 ઓગસ્ટે રમાશે.

T-20 સિરિઝ

તો 3 ઓગસ્ટથી 5 મેચોની T20 સિરીઝ શરૂ થશે. બીજી વનડે 6 ઓગસ્ટે રમાશે. ત્રીજી અને ચોથી ટી20 મેચ 8 અને 12 ઓગસ્ટે રમાશે. આ પ્રવાસ 12 ઓગસ્ટે છેલ્લી T20 સાથે સમાપ્ત થશે.

IND vs AUS: બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અય્યર હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. અય્યર દિલ્હીમાં બીજી મેચ પહેલા દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. BCCIએ જ શ્રેયસના ફિટ હોવાની અને ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે.  

બીસીસીઆઈએ કહ્યું કે, 'પીઠની ઈજાથી ઝઝુમતા શ્રેયસ અય્યરે એનસીએમાં પોતાનું રિહેબ પૂર્ણ કર્યું છે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. BCCIની મેડિકલ ટીમે પણ શ્રેયસને ફિટ જાહેર કર્યો છે. શ્રેયસ અય્યરની ફિટનેસ વિશે માહિતી આપતાં BCCIએ કહ્યું કે 'ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યરે તેની પીઠની ઈજાને પગલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેનું રિહેબ પૂર્ણ કર્યું છે અને તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.  શ્રેયસ નવી દિલ્હીમાં બીજી ટેસ્ટ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget