શોધખોળ કરો

MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો

MS Dhoni IPL 2025 Update: એમએસ ધોનીએ કહી દીધું છે કે તેઓ હજુ કેટલાક વર્ષ ક્રિકેટની રમતનો આનંદ લેવા માંગે છે. જાણો IPL 2025 વિશે શું કહ્યું?

MS Dhoni Statement on Playing IPL 2025: એમએસ ધોનીના IPL 2025માં રમવા અંગે હજુ સુધી શંકાઓ હતી. હવે આખરે તેમણે પોતે ક્રિકેટ રમવા કે ન રમવાના વિષય પર ખૂબ મોટું નિવેદન આપી દીધું છે. જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી પણ હજુ સુધી ધોનીના રમવા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન સામે નહોતું આવ્યું. એક મીડિયા રિપોર્ટ અનુસાર ધોનીનું કહેવું છે કે તેઓ હજુ કેટલાક વર્ષ ક્રિકેટનો આનંદ લેવા માંગે છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર એમએસ ધોનીએ કહ્યું, "હું હજુ જેટલા વર્ષ પણ ક્રિકેટ રમી શકું છું, આ રમતનો આનંદ લેવા માંગું છું. જ્યારે તમે ક્રિકેટને એક પ્રોફેશનલ રમત તરીકે જોવા લાગો છો ત્યારે એક રમત તરીકે તેનો આનંદ લેવો મુશ્કેલ બની જાય છે." જણાવી દઈએ કે CSKના CEO કાશી વિશ્વનાથને તેમના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે ધોની રમવા માટે તૈયાર હોય, તેઓ આનાથી વધુ કંઈ નથી ઈચ્છતા.

હજુ કેટલાક વર્ષ વધુ...

ધોનીએ તેમની વાત આગળ વધારતા કહ્યું, "હું ભાવનાત્મક રીતે ક્રિકેટ સાથે જોડાયેલો છું અને તેના પ્રત્યે હજુ પણ પ્રતિબદ્ધ છું. હજુ આગામી કેટલાક વર્ષ રમતનો આનંદ લેવા માંગું છું. હું IPLમાં બે થી અઢી મહિના સુધી રમી શકું, આ માટે મારે બાકીના 9 મહિના મારી ફિટનેસ જાળવી રાખવી પડે છે. તમારે આના માટે એક પ્લાન બનાવવો પડે છે, પરંતુ સાથે જ બધી વસ્તુઓનો આનંદ લેવો પણ જરૂરી છે."

'થાલા'ના નિવેદનનો અર્થ એ નથી કે તેમણે IPL 2025માં રમવાની પુષ્ટિ કરી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ હજુ પણ આ રાહ જોઈ રહ્યું છે કે ધોની ક્યારે આગામી સીઝન રમવા માટે હા પાડે છે. રિપોર્ટ અનુસાર CSKના અધિકારીઓને આશા છે કે ધોની 28 ઓક્ટોબર સુધીમાં તેમનો નિર્ણય જણાવી શકે છે. બીજી તરફ અટકળો એ પણ છે કે BCCI દ્વારા જારી કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટ સોંપવાની ડેડલાઈન એટલે કે 31 ઓક્ટોબરના એક દિવસ પહેલા તેમનો નિર્ણય જાહેર કરશે.

આ પણ વાંચોઃ

IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Embed widget