શોધખોળ કરો

મહેન્દ્ર સિંહ ધોની કેમ પહેરે છે 7 નંબરની જર્સી, રહસ્ય પરથી ઉઠી ગયો પડદો

ભારતના સૌથી સફળ કેપ્ટનમાનો એક ધોની કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ માહીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.

ભારતના સૌથી સફળ કેપ્ટનમાનો એક મહેન્દ્ર સિંહ ધોની કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે જ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ માહીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે. હાલમાં ધોની સુરત ખાતે આઈપીએલની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન કેપ્ટન કુલનું એક રહસ્ય લોકોની સામે આવ્યું છે. ધોની 7 નંબરની જર્સી પહેરે છે તે તો બધા ક્રિકેટ ફેન્સ જાણે જ છે. પરંતુ તે 7 નંબરની જર્સી કેમ પહેરે છે તેના વિેશે કોઈને ખબર નથી. શું તે કોઈ અંધ વિશ્વાસ છે કે પછી કંઈ બીજુ કાઈ. હવે આ વાતનો ખુલાસો ધોનીએ પોતે જ કરી દીધો છે.

આમ જોવા જઈએ તો 7 નંબરની જર્સીનું સમગ્ર વિશ્નમાં ઘણુ મહત્વ છે. ક્રિકેટથી લઈને ફૂટબોલ સુધી દરેક જગ્યાએ 7 નંબરની જર્સીની બોલબાલા છે. આ નંબરની જર્સી ઘણા મહાન ખેલાડીઓએ પહેરી છે. જેમા એરિક કોંટાના, જવાગલ શ્રીનાથ, શોન પોલોક,ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,સ્ટીફન ફ્લેમિંગનો સમાવેશ થાય છે. 7 નંબરની જર્સી અંગે ધોનીએ જણાવ્યું કે, હું કોઈ અંધ વિશ્વાસના કારણે આ નંબરની જર્સી નથી પહેરતો પરંતુ મારા જન્મ દિવસની તારીખના કારણે તે પહેરુ છું. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણા લોકો શરૂઆતમાં એવું વિચારતા હતા કે 7 નંબર મારા માટે લકી નંબર છે અને તેના કારણે હું 7 નંબરની જર્સી પહેરુ છું. પરંતુ તેની પાછળ એકદમ સરળ કારણ છે. મારો જન્મ 7 જુલાઈના રોજ થયો છે. આ સાતમાં મહિનાનો સાતમો દિવસ છે. બસ આ જ કારણ છે.

7 નંબરની પસંદગી કરવા અંગે એમ એસ ધોનીએ જણાવ્યું કે, બધી અલગ અલગ વસ્તુઓ અંગે જાણવાની જગ્યાએ કઈ સંખ્યા સૌથી સારી છે અને બધી સંખ્યા વિશે માહિતી લીધા બાદ મે વિચાર્યું કે હું મારી જન્મ તારીખને નંબર તરીકે ઉપયોગ કરીશ. તેમણે આગળ કહ્યું, ઘણા લોકો કહ્યું કે 7 નંબર એક તટસ્થ સંખ્યા છે અને અહિયાં સુધી કે જો આ તમારા માટે કામ ન કરે તો તે તમારી વિરુદ્ધ પણ નથી જતી.

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીએ 4 વખત આઈપીએલની ટ્રોફી જીતી છે. જ્યારથી આઈપીએલની શરૂઆત થઈ છે ત્યારથી ધોની ચેન્નાઈની કેપ્ટન્સી કરી રહ્યો છે. ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને પણ ઘણી ટ્રોફી જીતાડી છે.  તેમના નેતૃત્વમાં ભારતે 3 વખત ICC ટ્રોફી જીતી છે. IPLની 15મી સિઝનની શરૂઆત 26 માર્ચથી ચેન્નાઈ સુપર કિગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાશે.


દીપક ચહર શરૂઆતની મેચો ગુમાવશે

દીપક ચહર આ વખતે IPL રમી શકશે કે નહીં તેનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે. ચેન્નાઈ સુપરકિંગ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, દીપક ચહર ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીમિત ઓવરોની શ્રેણી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. દીપક ચહરને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે 6 થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. દીપક ચાહર IPLની આ વર્ષની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. દીપકને ઓછામાં ઓછું IPLના પ્રથમ તબક્કા સુધી બહાર બેસવું જ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget