શોધખોળ કરો

IND vs ENG: કોણ છે સૌરભ કુમાર ? ક્રિકેટ માટે છોડી સરકારી નોકરી, વિના IPL રમે ટીમ ઇન્ડિયામાં મળી ગઇ એન્ટ્રી

હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ સીરીઝની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે

Who Is Saurabh Kumar: હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ સીરીઝની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે, પરંતુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. રવિન્દ્ર જાડેજા રવિવારે પ્રથમ ટેસ્ટ દરમિયાન રમી શક્યો ના હતો ત્યારે તેના પગના સ્નાયુમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલને તેની જમણી જાંઘમાં દુખાવો થઈ રહ્યો હતો. જો કે આ ટેસ્ટ માટે મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન, લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમાર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યા છે.

સૌરભ કુમાર વિશે કેટલું જાણો છો તમે ?
તમે વોશિંગ્ટન સુંદર અને સરફરાઝ ખાન વિશે ઘણું સાંભળ્યું હશે. પણ તમે સૌરભ કુમાર વિશે કેટલું જાણો છો? ખરેખર, આ ખેલાડીએ અત્યાર સુધી IPL નથી રમી, પરંતુ તેને ઘરેલુ ક્રિકેટનો ઘણો અનુભવ છે. લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમાર સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખેલાડીએ 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં 27ની એવરેજથી 2061 રન બનાવ્યા છે. તેમજ બોલર તરીકે તેણે વિરોધી ટીમના 290 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ ખેલાડીએ યુપી માટે રણજી ટ્રોફી રમવા માટે એરફોર્સની નોકરી છોડી દીધી હતી. જ્યારે આ પહેલા તેણે આર્મી ટીમ સાથે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું.

એરફોર્સની નોકરી છોડી, હવે ટીમ ઇન્ડિયાની જર્સીમાં દેખાશે આ ખેલાડી - 
વાસ્તવમાં, સૌરભ કુમારનું એરફોર્સમાં ડેબ્યુ સ્પોર્ટ્સ ક્વૉટા દ્વારા થયું હતું, પરંતુ તે યુપી માટે રમવા માંગતો હતો, તેથી તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. જો કે હવે આ ખેલાડી ભારત તરફથી રમતા જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં સૌરભ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.

IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં ઇગ્લેન્ડનો 28 રનથી વિજય, ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના  જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget