શોધખોળ કરો

2019ના વર્લ્ડકપને લઇને યુવરાજ સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- આ કારણે હારી હતી ટીમ ઇન્ડિયા

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાંથી હાર સાથે બહાર થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાંથી હાર સાથે બહાર થઇ ગઇ હતી. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર અંગે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું માનવું છે કે યોગ્ય આયોજનના અભાવે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

યોગ્ય રીતે આયોજન કરી શક્યા નથી

યુવરાજ સિંહે કહ્યું કે ટીમ ઈંગ્લેન્ડમાં 2019ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે સારી યોજના બનાવવામાં નિષ્ફળ રહી હતી. વિજય શંકર અને રિષભ પંત વચ્ચે ચોથા નંબરની અદલાબદલીનો ઉલ્લેખ કરતાં યુવરાજે કહ્યું કે જો તેમની પાસે બેટિંગ ક્રમમાં ચોથા સ્થાને અનુભવી બેટ્સમેન હોત તો ભારત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યું હોત.

ટૂર્નામેન્ટમાં મિડલ ઓર્ડરમાં ભારતની બેટિંગ લાઇનઅપનો અભાવ હતો, ખાસ કરીને ચોથા નંબર પર સમસ્યાઓ ઊભી થઇ રહી હતી. અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુને 15-સભ્યોની ટીમમાંથી બહાર કરી દેવાયો હતો.

યુવરાજે સંજય માંજરેકરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'જ્યારે અમે વર્લ્ડ કપ (2011) જીત્યા ત્યારે અમને બધાને બેટિંગ માટે સ્થાન અપાયું હતું. મને 2019ના વર્લ્ડ કપમાં સમજાયું કે ટીમે સારુ આયોજન કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ વિજય શંકરને માત્ર 5-7 વન-ડે મેચમાં 4 નંબર પર બેટિંગ કરવાની તક આપી પછી ટીમે તેના સ્થાને ઋષભ પંતને ટીમમાં સામેલ કર્યો. જ્યારે અમે 2003 વર્લ્ડ કપ રમ્યા ત્યારે મોહમ્મદ કૈફ, દિનેશ મોંગિયા અને હું 50 વનડે રમી ચૂક્યા હતા.

ટી-20 ટીમમાં પણ આવી જ સમસ્યા છે

ટી20 ટીમ વિશે વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે ભારતની મિડલ ઓર્ડરની સમસ્યા ટી20 ફોર્મેટમાં પણ છે, જે ગયા વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં જોવા મળી હતી. IPLમાં મધ્ય-ક્રમના બેટ્સમેનો ફ્રેન્ચાઇઝી માટે સારી બેટિંગ કરે છે, જ્યારે T20 વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શનનો અભાવ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
જય શાહના પ્રમુખ પદ છોડ્યા બાદ BCCIએ કોંગ્રેસના આ નેતાને સોંપી મોટી જવાબદારી, ACCમાં ભજવશે આ ભૂમિકા
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
Embed widget