શોધખોળ કરો

ધોનીને CSKમાં લાવનાર આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા, ક્રિકેટ જગત સ્તબ્ધ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા.

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ આક્રમક બેટ્સમેન વીબી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રશેખરનું નિધન હાર્ટ એટેકના કારણે ચેન્નઈ સ્થિત તેના ઘરમાં થયું છે. પરંતુ કેટલાક મીડિયા અહેવાલ અનુસાર તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચંદ્રશેખરનું નિધન તેના 58માં જન્મદિવસથી 6 દિવસ પહેલા થયું છે. જણાવીએ કે, ચંદ્રશેખર ભારત માટે 1988થી 1990ની વચ્ચે સાત વનડે મેચ રમ્યા હતા. વીબી ચંદ્રશેખરનું નિધન કેવી રીતે થયું તેને લઈને હાલમાં આશંકા છે. અલગ અલગ મીડિયા અહેવાલ અનુસાર બે વાતો સામે આવી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અને એએનાઈના અહેવાલ અનુસાર વીબી ચંદ્રશેખરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એએનઆઈ સાથે વાત કરતાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેઓએ આત્મહત્યા કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા. માઇલાપોર સ્થિત તેમના ઘરમાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો. તેઓએ દેશ માટે 7 વનડે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની 43.09ની ઉત્તમ સરેરાશથી રમ્યા છે. તેમની ભારતના આક્રમક ઓપનર તરીકે ગણતરી કરવામાં આવતી હતી. ધોનીને CSKમાં લાવનાર આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા, ક્રિકેટ જગત સ્તબ્ધ રિપોર્ટ મુજબ, ઇન્સ્પેક્ટર સેંથિલ મુરુગને જણાવ્યું કે ચંદ્રશેખરની પત્નીએ નિવેદન આપ્યું છે કે તેઓએ ચંદ્રશેખરના રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ઘણા સમય સુધી કોઈ જવાબ ન મળ્યા બાદ તેઓએ બારીથી અંદર જોયું તો ચંદ્રશેખરનો મૃતદેહ પંખાથી લટકેલો હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી. તેમની પત્ની સૌમ્યાએ જણાવ્યું કે ચા પીધા બાદ સાંજે 5.45 વાગ્યે પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. ક્રિકેટ બિઝનેસમાં નુકસાન થવાના કારણે તેઓ અનેક દિવસોથી તણાવમાં હતા. વીબી ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરંસ ટીમના માલિક હતા અને માનવામાં આવી રહ્યું છે કે આ ટીમને લઈને તેઓ આર્થિક તંગીનો શિકાર થઈ ગયા હતા. ચંદ્રશેખરના મોતના અહેવાલે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અનિલ કુંબલે, હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય પણ વીબી ચંદ્રશેખરને જ જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget