શોધખોળ કરો
World Cup: ધવન વર્લ્કપમાંથી બહાર થતા હવે આ ખેલાડીને મળી શકે છે તક, જાણો કોના નામ છે ચર્ચામાં
ધવન ઈજાગ્રસ્ત થતાં હવે ટીમમાં તેની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા થઈ રહી છે.

LONDON, ENGLAND - JUNE 09: Shikhar Dhawan of India walks off after being caught out during the Group Stage match of the ICC Cricket World Cup 2019 between India and Australia at The Oval on June 9, 2019 in London, England. (Photo by Henry Browne/Getty Images)
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં બીજી જ મેચમાં સદી ફટકારનારો બેટ્સમેન શિખર ધવન હવે આગામી મેચોમાં નહીં રમી શકે. ટીમ ઇન્ડિયાને ટૂર્નામેન્ટમાં મોટી આશાઓ હતી, જોકે હવે વિસ્ફોટક બેટ્સમેન ગબ્બરની ગેરહાજરીથી નુકશાન પહોંચી શકે છે.
શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ધવન ઈજાગ્રસ્ત થતાં હવે ટીમમાં તેની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા થઈ રહી છે. આ ત્રણ ખેલાડીઓમાં અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર અને રિષભ પંતનું નામ સામેલ છે.
રહાણે હાલમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને તેને ત્યાં શાનદાર સેન્ચુરી ફટકારી પણ છે. જ્યારે શ્રેયસ અય્યર અને પંતનું નામ પણ આ રેસમાં સામેલ છે.
શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ધવન ઈજાગ્રસ્ત થતાં હવે ટીમમાં તેની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા થઈ રહી છે. આ ત્રણ ખેલાડીઓમાં અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર અને રિષભ પંતનું નામ સામેલ છે.
રહાણે હાલમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને તેને ત્યાં શાનદાર સેન્ચુરી ફટકારી પણ છે. જ્યારે શ્રેયસ અય્યર અને પંતનું નામ પણ આ રેસમાં સામેલ છે. વધુ વાંચો





















