શોધખોળ કરો
IPL: દિલ્હી-હૈદ્રાબાદની એલિમિનેટર મેચમાં બે વખત ઉછાળાયો ટોસ, જાણો કેમ
સિક્કો જમીન પર પડે તે પેહલા જ હોસ્ટ સંજય માંજરેકર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને તેને હવામાં જ ઝડપી લીધો.

નવી દિલ્હીઃ ઇન્ડિય ટી20 લીગ વિશ્વની સૌથી મોટી લીગ છે. 60 મેચની આ લીગમાં કેપ્ટન પર ભારે દબાણ જોવા મળતું હોય છે. બુધવારે દિલ્હી અને હૈદ્રાબાદની વચ્ચે રમાયેલ એલિમિનેટર મેચ પહેલા પણ એવું જ જોવા મળ્યું. આ મેચમાં ટોસ પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર ખૂબ જ ઉતાવળમાં હતા. તે ટોસ કરવા માટે એટલા ઉતાવળ હતા કે સમય પહેલા જ સિક્કો ઉછાળી દીધો. જોકે, બન્ને કેપ્ટને અને રેફરીએ સાથે ટોસ કરાવવા માટે આવેલ સંજય માંજરેકરે તેને અધવચ્ચે જ રોકી દીધા.
દિલ્હીએ લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચો જીતી હતી અને તેની પાસે કુલ 18 પૉઈન્ટ હતા. જ્યારે સનરાઈઝર્સ 12 પોઈન્ટ્સ સાથે પ્લેઑફમાં પહોંચી હતી.
સિક્કો જમીન પર પડે તે પેહલા જ હોસ્ટ સંજય માંજરેકર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને તેને હવામાં જ ઝડપી લીધો. માંજરેકરે કહ્યું કે, ‘આટલી જલ્દી નહીં. તું સિક્કો ઉછાળવા માટે ઘણો ઉત્સાહિત લાગી રહ્યો છે. માંજરેકરે કહ્યું કે, આ માન્ય નહીં ગણાય. સિક્કો જ્યારે બીજીવાર ઉછાળવામાં આવ્યો ત્યારે દિલ્હીએ ટૉસ જીત્યો અને પ્રથમ બોલિંગ પસંદ કરી.Skipper Iyer eager to get things started here in Vizag ???????? pic.twitter.com/2EwJGEuFLh
— IndianPremierLeague (@IPL) May 8, 2019

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement