શોધખોળ કરો

રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- સુપરઓવરમાં બેટિંગ માટે તૈયાર નહોતો, ખોવાઈ ગયો હતો.....

રોહિત શર્માએ કહ્યું કે, તેને આશા નહોતી કે મેચ સુપરઓવરમાં જશે. રોહિતે આગળ કહ્યું કે, મહત્ત્વનું એ છે કે ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડી હાલમાં સારા ફોર્મમાં રહ્યા.

નવી દિલ્હી: ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્માએ બુધવારે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. સુપરઓવરમાં પહોંચેલી રોમાંચક મેચમાં રોહિતે પહેલા 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી. બીજી તરફ ત્યારબાદ સુપર ઓવરમાં છેલ્લા બે બોલમાં સિક્સર મારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. રોહિત શર્મા એ રોમાંચક મેચ બાદ જણાવ્યું કે તે સુપરઓવરમાં બેટિંગ કરવા તૈયાર નહોતો. રોહિત શર્માએ જણાવ્યું કે સુપરઓવરમાં બેટિંગ કરતાં પહેલા મેં મારો બધો સામાન બેગની અંદર પેક કરી દીધો હતો અને ફરીથી બેગમાંથી આ બધું  બહાર કાઢવાનું હતું. મને લગભગ પાંચ મિનિટ એબડોમિનલ ગાર્ડ શોધવામાં લાગ્યો હતો કારણ કે હું નહોતો જાણતો કે તે ક્યાં મૂક્યું છે જેના કારણે મને તૈયાર થવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો. રોહિત શર્માએ કહ્યું કે, તેને આશા નહોતી કે મેચ સુપરઓવરમાં જશે. તેણે વધુમાં કહ્યું કે જો આ મુકાબલામાં તેણે અડધી સદી ફટકારી ન હોત તો સુપરઓવરમાં તેની જગ્યાએ શ્રેયસ અય્યરને મોકલવામાં આવ્યો હોત. રોહિત શર્માએ કહ્યું હતું કે, જ્યારે પણ કોઈને તક મળે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. શિખર ધવને પણ શ્રીલંકાની વિરુદ્ધ અગાઉની સીરીઝમાં મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી અને કેએલ રાહુલ છેલ્લી સાત-આઠ ટી20થી સારા ફોર્મમાં છે. તેઓએ કદાચ ચાર કે પાંચ અડધી સદી ફટકારી છે. તેણે કહ્યું કે, તેથી એ ટીમ માટે સારા સંકેત છે. અમે તેને સારા રૂપમાં જોઈએ છીએ. રોહિતે આગળ કહ્યું કે, મહત્ત્વનું એ છે કે ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડી હાલમાં સારા ફોર્મમાં રહ્યા અને અંતિમ ઇલેવનમાં કોણ હશે તેનો નિર્ણય ત્યારે કરવામાં આવશે જ્યારે તમામ ખેલાડી ઉપલબ્ધ હોય. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ બેસીને એ નિર્ણય કરશે કે કોઈ ખાસ મેચમાં કયો ખેલાડી રમવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
મોટો ધમાકો... 8GB RAM અને AMOLED ડિસ્પ્લેવાળા Nothing ના બે સ્માર્ટફોન લૉન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
મોટો ધમાકો... 8GB RAM અને AMOLED ડિસ્પ્લેવાળા Nothing ના બે સ્માર્ટફોન લૉન્ચ, જાણો ફિચર્સ અને કિંમત
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
Embed widget