શોધખોળ કરો
BCCI અધ્યક્ષ નક્કી થતાં જ સૌરવ ગાંગુલીએ કેપ્ટન કોહલીને શું આપ્યુ પહેલુ ફરમાન, જાણો વિગતે
ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપમાં ખુલીને રમવાનુ ફરમાન કરી દીધુ છે

કોલકત્તાઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બહુ જલ્દી બીસીસીઆઇના અધ્યક્ષની ખુરશી પર બેસી જશે. અધ્યક્ષ પદ માટે તેમને હરાવવા કોઇ મેદાનમાં નથી, બીસીસીઆઇના અધ્યક્ષ પસંદ થતાં જ તેમને કેપ્ટન કોહલીને ફરમાન આપી દીધુ છે કે, તે મોટી ટૂર્નામેન્ટ પર વધારે ધ્યાન આપે. કોલકત્તાના દમદમ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે, બીસીસીઆઇના અધ્યક્ષ બનવુ એક મોટી જવાબદારી છે. હું ક્રિકેટને સારા સ્તર સુધી પહોંચડવા કામ કરીશ. ખાસ કરીને પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં સુધારા જરૂરી છે. ટીમ ઇન્ડિયા હાલ સારુ પ્રદર્શન કરી રહી છે.
ગાંગુલીએ કેપ્ટન કોહલીની પ્રસંશા કરતાં ફરમાન આપ્યુ કે, વિરાટ ટીમ ઇન્ડિયાની શાન છે, કેપ્ટને કોઇપણ પ્રકારના દબાણ વિના મોટી ટૂર્નામેન્ટ રમવી જોઇએ, આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડકપમાં પણ કોહલીએ ખુલીને રમવુ જોઇએ. ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપમાં ખુલીને રમવાનુ ફરમાન કરી દીધુ છે.
ગાંગુલીએ કેપ્ટન કોહલીની પ્રસંશા કરતાં ફરમાન આપ્યુ કે, વિરાટ ટીમ ઇન્ડિયાની શાન છે, કેપ્ટને કોઇપણ પ્રકારના દબાણ વિના મોટી ટૂર્નામેન્ટ રમવી જોઇએ, આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડકપમાં પણ કોહલીએ ખુલીને રમવુ જોઇએ. ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપમાં ખુલીને રમવાનુ ફરમાન કરી દીધુ છે.
વધુ વાંચો





















