ગાવસ્કરે કહ્યું કે, સાઉથ આફ્રિકા પ્રવાસથી જ સિલેક્શનને લઇને મોટી ભૂલ કરવામાં આવી રહી છે. જો યોગ્ય રીતે સિલેક્શન કરવામાં આવે તો આ મેચ ટીમ જીતી શકતી હતી.
2/7
ગાવસ્કરે કેએલ રાહુલને લઇને પણ સવાલ કર્યો છે, તેને કહ્યું રાહુલને ટીમમાંથી બહાર કરવો જોઇએ, ભારત મોકલીને તેને ઘરેલું ક્રિકેટ મેચો રમવાનું કહેવું જોઇએ.
3/7
4/7
5/7
જો સ્ટીવ સ્મિથ અને વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયની ટીમ જીતી શકતી હોય તો સિલેક્ટર્સે વિચાર કરવાની જરૂર છે, કેમકે આપણને હાલના કેપ્ટન, કૉચ અને સહયોગી સ્ટાફથી કોઇ ફાયદો નથી થઇ રહ્યો.
6/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સીધુ નિશાન તાક્યુ છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં મળેલી હાર બાદ ગાવસ્કર ગિન્નાયો અને બન્નેની ભુમિકા પર સવાલ ઉભા કરી દીધા હતા.
7/7
પર્થમા મળેલી કારમી હાર બાદ ગાવસ્કરે વિરાટ કોહલી અને રવિશાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા કરવા સુધી કહી દીધું. ગાવસ્કરે કહ્યું કે, જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હવે પછીની મેચો પણ હારે છે તો કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા થવી જોઇએ. ગાવસ્કરે ટીમના સિલેક્શનને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા.