બેંગલુરુઃ આઈપીએલ 2018ની આજથી બેંગલુરુમાં થયેલી ઓક્શનમાં સૌથી વધારે કિંમત વેચાયેલા ટોપ-3 ક્રિકેટરમાં બે ભારતીય બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આર અશ્વિનને કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો છે. જેના કારણે આ વખતે આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સમાં ધોની-અશ્વિનની જુગલબંધી નહીં જોવા મળે. કિંગ્સ ઇલેવન પંજાબે લોકેશ રાહુલ, આર અશ્વિન, કરૂણ નાયર, યુવરાજસિંહને ખરીદ્યા હતા.