નોંધનીય છે કે ડો. આરતી મહેતા (મનોચિકિત્સક) આ કાર્યક્રમ સંકલન કરશે. જ્યારે આવનાર વર્ષોમાં ટીમ સોચ દ્વારા અપાતી સુવિધાઓને વિસ્તૃત કરી અને દર્દીને વધુમાં વધુ સારા પરિણામો આપવા માટે ટીમ સોચ કટિબદ્ધ છે.
2/4
31 ડિસેમ્બર 2017ના રોજ બપોરે 3:30 વાગે સુરતમાં ‘ટીમ સોચ’ દ્વારા એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિષય એવો હશે કે, દરેક લોકો જાણે છે કે તેમ મન ઘણું ચંચળ હોય છે, તેથી જ મનનો ભેદ જાણવા અને મનની ગૂંચ ઉકેલવા માટે ટીમ સોચ દ્વારા માનસિક સ્વાસ્થ્યના જન જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે.
સુરત: સુરતમાં ટીમ ‘સોચ’ દ્વારા ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદભુત કાર્યક્રમમાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો. મુકુલ ચોક્સી (મનોચિકિત્સક, સુરત), ડો. વિજય નાગેચા (મનોચિકિત્સક) અને ડો.મહેશ દેસાઈ (મનોચિકિત્સક) સહિતના મહાનુભાવો હાજરી આપશે અને પ્રવચન આપશે.