Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
26 જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગ્યે યોજાનારા ક્ષત્રિય ઠાકોર સેનાના મહાસંમેલનની તડામાર તૈયારી. ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામથી ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે. જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મુકવામાં આવશે. રામકથા મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને પોલીસ અને વહીવટી પ્રશાસન પણ સતત વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યું છે.. અંદાજિત બે લાખથી વધુ લોકો આ મહાસંમેલન ઉપસ્થિત રહેવાના છે.. જે માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મહાસંમેલન અંગે અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી. જેમાં અલ્પેશ ઠાકોરે છેલ્લા 10-15 વર્ષમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યુ હોવાની વાત કરી.. અડાલજ પાસે ઠાકોર સમાજને શૈક્ષણિક ધામ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે.. જ્યાં સરસ્વતિ ધામ શૈક્ષણિક સકુલમાં બે હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરાશે.. એટલુ જ નહીં.. આ ભવનનું ભૂમિ પૂજન પણ 10 વર્ષથી નીચેની વયના 11 દીકરી-દીકરા કરશે.. અલ્પેશ ઠાકોરે એ સ્પષ્ટ કર્યુ કે અન્ય સમાજ સાથે કોઈ સ્પર્ધા કે ઈર્ષા નથી.. સમાજના ઉત્થાન માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.. જેથી આ કાર્યક્રમને શક્તિપ્રદર્શન ન ગણીને રાજકીય અવલોકન ન કરવામાં આવે..

















