CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
રાજ્યમાં આજથી વસતી ગણતરીની કામગીરીનો થયો પ્રારંભ. બે તબક્કામાં થનારી આ વસતી ગણતરી માટે આજથી 31 મે સુધી લોકો જાતે માહિતી અપલોડ કરી શકશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પરિવારની વિગતો ભરીને સ્વ-ગણતરી પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સૌને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. સાથે જ સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની નાગરિકોને અપીલ કરી. વસતી ગણતરીની કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો ભારત સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર 1855 અને વેસબાઈટ પર પણ સંપર્ક કરી શકે છે.. રાજ્યમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. વસતી ગણતરીનો પ્રથમ તબક્કો 1 જુનથી પ્રારંભ થશે. 30 જુન સુધી તમામ ઘરોની ગણતરી કરાશે.. કર્મચારીઓ 33 સવાલોના જવાબ મેળવશે.



















