Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
રાજ્યમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે કુલ પાંચ લોકોના મોત..દાહોદમાં હોર્ડિંગ્સ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત...વાવ થરાદમાં ઝાડ પડતા એકનું મોત...ડીસામાં દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ...
દાહોદ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીમાં લગાવવામાં આવેલ સાઇનબોર્ડ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા હતા અને એક માં 70 વર્ષીય શક્કરિયા ભાઈ નીનાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. ઘાયલો બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત ભીલવાડા વિસ્તારમાં બાઈક ચાલક પર પતરું પડતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગલાલીયાવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ઘાયલ થઈ હતી.



















