Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
બનાસકાંઠાના થરા ખાતે દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓએ સમી તાલુકાના દાદરા ગામના ચૌધરી સમાજના વડીલ એવા અજમલ ચૌધરીના અપહરણ કેસમાં હવે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ મેદાને આવ્યા છે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી એક મહિનો વિતવા છતાં ઓગડ મઠના મહંત વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો. આટલું જ નહીં અજમલભાઈ ચૌધરીના કથિત અપહરણ, મારપીટ કેસમાં ન્યાયિક તપાસની માગ કરી. આટલું જ નહીં રમીલાબેને પત્રમાં આરોપ લગાવ્યો કે ઓગડ મઠના મહંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો સાથે સંપર્ક રાખે છે. ત્રણ પાનાના આ પત્રમાં અલગ-અલગ આઠ મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સ્થાનિક સ્તરે થયેલી તપાસ પર શંકાને દૂર કરવાની માગ કરી. પીડિત પક્ષને ન્યાયનો વિશ્વાસ અપાવવા માટે મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવાની માગ કરી.


















