શોધખોળ કરો
ફક્ત 50 મણ ખરીદીની સરકારની જાહેરાતથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ
અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ ૧૮ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. બીજી તરફ સરકાર દ્વારા ચણાની પ્રતિ ૨૦ કિલોના ૧૦૨૦ ના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે માત્ર 50 મણ એક ખેડૂત પાસેથી ખરીદવાનો પરિપત્ર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ સરકારે ચણાની ૧૨૫ મણ ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ માત્ર ૫૦ મણ ખરીદીનો નિર્ણય કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















