India Corona Cases : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 306 કેસ નોંધાયા, 6 લોકોના મોત
દેશમાં કોરોનાથી વધુ છ લોકોના થયા મોત. દેશમાં 24 કલાકમાં કોરોનાએ છના લીધા ભોગ. દેશમાં કોરોનાના નવા 306 કેસ નોંધાયા. કોરોનાના એક્ટિવ કેસનો આંક સાત હજારને પાર. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7 હજાર 121 .
રાજ્યમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 1 હજાર 227 એક્ટિવ કેસ છે અને 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં 3 જૂનમાં 397 એક્ટિવ કેસ હતા. આમ એક સપ્તાહમાં સાડા 3 ગણો વધારો થયો છે. હાલ ગુજરાતમાંથી 761 એક્ટિવ કેસ તો માત્ર અમદાવાદમાં જ છે. રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યું થયું છે. 55 વર્ષીય વૃદ્ધને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. કોવિડ પ્રોટોકોલ અનુસાર સારવાર શરૂ કરાઈ હતી જ્યા તેમનું મૃત્યું થયું હતું.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો હતો. રાજકોટમાં કોરોનાથી એક વૃદ્ધનું મોત થયું છે. આ ઉપરાંત નવા નવ કેસ પણ નોંધાયા છે. આ સિવાય જામનગર શહેર અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં ચાર કેસ નોંધાયા છે. કચ્છમાં પણ કોરોનાના પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં હવે રોજ 9થી10 કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો 114 પર પહોંચી ગયો છે. જો કે 61 દર્દી સ્વસ્થ પણ થઈ ગયા છે. જ્યારે એક્ટિવ કેસમાં મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તો જામનગરમાં પણ કોરોનાના કુલ કેસનો આંકડો 80 પર પહોંચી ગયો છે. કચ્છમાં મુંદ્રામાં 3, ભૂજમાં 2 કેસ સામે આવ્યા છે. જેમાં 3 સ્ત્રી અને 2 પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
















