શોધખોળ કરો

IND vs NZ: બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પરાજય, જુઓ અહેવાલ

India vs New Zealand, 2nd Test at Pune: મિચેલ સેન્ટનરની જાદુઈ બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 113 રનથી હરાવી. ન્યૂઝીલેન્ડની ટીમ 1955 56થી ભારતનો પ્રવાસ કરી રહી છે. પરંતુ 68 વર્ષમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી છે.

ભારત છેલ્લે 2012માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યું હતું. ત્યારે ઇંગ્લેન્ડે ભારતને 2-1થી હરાવ્યું હતું. આવો, ન્યૂઝીલેન્ડ સામેની હારના તે કારણો પર નજર નાખીએ, જેના કારણે ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં સતત બીજી વાર હાર સ્વીકારવી પડી.

ઓપનિંગ જોડીની ખરાબ શરૂઆત

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. પ્રથમ ઇનિંગ્સમાં યશસ્વી જયસવાલ જ્યાં 30 રન બનાવીને આઉટ થયો, ત્યાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. બંને વચ્ચે 18 બોલમાં માત્ર એક રનની ભાગીદારી થઈ હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં યશસ્વી જયસવાલ અને રોહિત શર્માની ઓપનિંગ જોડી વચ્ચે માત્ર 34 રનની ભાગીદારી થઈ. મોટા સ્કોરનો પીછો કરતાં ખરાબ શરૂઆતનું દબાણ મિડલ ઓર્ડર પર પડ્યું.

ટોચના બેટ્સમેનોનું આઉટ ઓફ ફોર્મમાં હોવું

ભારતીય ટીમના મજબૂત બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. વિરાટ કોહલી સ્પિનર સામે સારી રીતે રમી શકતો નથી. આનાથી તેમનો આત્મવિશ્વાસ ડગમગ્યો હોય તેવું લાગતું હતું. પૂણેમાં વિરાટ કોહલીને બંને ઇનિંગ્સમાં કીવી સ્પિનર મિચેલ સેન્ટનરે તેમને સ્પિનમાં ફસાવ્યા અને પેવેલિયન મોકલી ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો.

રોહિત શર્માની ખરાબ કેપ્ટનશી

ન્યૂઝીલેન્ડ સામે પૂણે ટેસ્ટ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશી કંઈ ખાસ ન રહી. ભારતીય કેપ્ટન પાસેથી જે આક્રમક વલણની અપેક્ષા હતી, તેવું મેદાન પર જોવા ન મળ્યું. તેમનું વલણ આક્રમકતાને બદલે રક્ષણાત્મક રહ્યું. કોમેન્ટ્રી બોક્સમાં હાજર ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આ વાત કહી.

કીવી ટીમને હળવાશમાં લેવું ભારે પડ્યું

બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ બીજી ટેસ્ટ મેચમાં કીવી ટીમને હળવાશમાં લેવું ભારતીય ટીમને મોંઘું પડ્યું. પરિણામે, ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનિંગ્સમાં 256 રનમાં સમેટનારી ભારતીય ટીમ 53.4 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આખી મેચ દરમિયાન કીવી ટીમે ભારતીય ટીમ પર દબાણ જાળવી રાખ્યું. સીરિઝની બંને ટેસ્ટ મેચમાં ક્યાંયથી પણ એવું ન લાગ્યું કે મહેમાન ટીમ સામે ભારતીય ખેલાડીઓ તૈયારી કરીને ઉતર્યા છે.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget