શોધખોળ કરો
PAKની સૂફી દરગાહ પર ISISનો આત્મઘાતી હુમલો, 100થી વધુનાં મોત
1/7

એધી ફાઉન્ડેશનના ફૈસલ એધીએ કહ્યું કે તેમણે હૈદરાબાદ અને જમશોરોની હોસ્પિટલમાં 50 શબ મોકલ્યાં છે. ડોન અખબારમાં જમશોરોના એસએસપીને ટાંકીને જણાવાયું હતું કે આત્મઘાતી હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરીક એ તાલિબાન હુમલો કરે છે. 2005 બાદથી દેશભરની 25 દરગાહો પર ત્રાસવાદી હુમલા થઈ ગયા છે.
2/7

પાછલા વર્ષે 13 નવેમ્બરે બલુચિસ્તાન પ્રાંતની જાણીતી શાહ નૂરાની દરગાહ પર બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન 500 વર્ષ જૂની દરગાહમાં સૂફી સંગીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ લોકો સ્થળ પર હાજર હતા.
Published at : 17 Feb 2017 07:11 AM (IST)
View More






















