શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો

અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુરિયા-DAP સિવાયના ખાતરમાં ₹800નો વધારો.
  • NPK ખાતરની બેગ ₹1450 થી ₹2250 થઈ.
  • વૈશ્વિક યુદ્ધોને કારણે કાચો માલ મોંઘો.

મહેસાણા: અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.  NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો કરી દેવાયો.  અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા હતાં.  જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ 2250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાતરના ભાવમાં થયેલો આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ છે.  એક તો ગ્લોબલ વોર્મિંગની અસર તથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી.  આટલું જ નહીં ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી. ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સાબિત થશે. 

ખેતીમાં જરૂરિયાત ગણાતા એન.પી.કે (NPK) ખાતરના ભાવમાં સરકારે મોટો વધારો કર્યો છે. મહેસાણા પંથકના ખેડૂતો જે સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. 

ભાવમાં કેટલો તફાવત?

જૂનો ભાવ: રૂ. 1450 (50 કિલોની બેગ) હતા.  
નવો ભાવ: રૂ. 2250 (50 કિલોની બેગ) થયા. 
ચોખ્ખો વધારો: સીધો રૂ. 800 નો વધારો એક બેગ દીઠ કરવામાં આવ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે. ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતર બનાવવા માટે વપરાતા રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે, જેને પગલે કંપનીઓ દ્વારા આ વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારો થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.  

ખેડૂતે જણાવ્યું કે, 'એક તરફ કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે પૂરું ઉત્પાદન મળતું નથી, અને બીજી તરફ એનપીકે ખાતરના ભાવમાં સીધો 800 રૂપિયાનો વધારો! ખેડૂત ક્યાં જાય? ખેતી ખર્ચ પણ હવે તો નીકળતો નથી."

આ પણ વાંચો- પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે

મહેસાણાના ખેતી પ્રધાન વિસ્તારમાં ખેડૂતો અત્યારે મુંઝવણમાં છે. શિયાળુ પાકની સીઝન હોય કે આવનારી ખરીફ સીઝન, ખાતર વિના ખેતી શક્ય નથી. જ્યારે ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખાતરના આ ભાવ વધારાથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ સેવાઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ સબસિડી જાહેર કરે છે કે પછી જગતનો તાત આ મોંઘવારીના ખપ્પરમાં હોમાતો રહેશે.

Frequently Asked Questions

ખાતરના ભાવમાં કેટલો વધારો થયો છે?

સરદાર NPK ખાતરની 50 કિલોની બેગના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 1450 રૂપિયા હતા, હવે 2250 રૂપિયા થયા છે.

ખાતરના ભાવમાં વધારાનું કારણ શું છે?

અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને વૈશ્વિક યુદ્ધના કારણે ખાતર બનાવવા માટેના રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે.

ખાતરના ભાવ વધારાની ખેડૂતો પર શું અસર થશે?

ખેતી ખર્ચ વધશે અને ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ છે.

કયા ખાતરના ભાવમાં વધારો થયો છે?

યુરિયા અને DAP સિવાયના ખાતરો, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા સરદાર NPK ખાતરના ભાવમાં વધારો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Embed widget