શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો

અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુરિયા-DAP સિવાયના ખાતરમાં ₹800નો વધારો.
  • NPK ખાતરની બેગ ₹1450 થી ₹2250 થઈ.
  • વૈશ્વિક યુદ્ધોને કારણે કાચો માલ મોંઘો.

મહેસાણા: અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.  NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો કરી દેવાયો.  અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા હતાં.  જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ 2250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાતરના ભાવમાં થયેલો આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ છે.  એક તો ગ્લોબલ વોર્મિંગની અસર તથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી.  આટલું જ નહીં ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી. ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સાબિત થશે. 

ખેતીમાં જરૂરિયાત ગણાતા એન.પી.કે (NPK) ખાતરના ભાવમાં સરકારે મોટો વધારો કર્યો છે. મહેસાણા પંથકના ખેડૂતો જે સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. 

ભાવમાં કેટલો તફાવત?

જૂનો ભાવ: રૂ. 1450 (50 કિલોની બેગ) હતા.  
નવો ભાવ: રૂ. 2250 (50 કિલોની બેગ) થયા. 
ચોખ્ખો વધારો: સીધો રૂ. 800 નો વધારો એક બેગ દીઠ કરવામાં આવ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે. ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતર બનાવવા માટે વપરાતા રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે, જેને પગલે કંપનીઓ દ્વારા આ વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારો થતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.  

ખેડૂતે જણાવ્યું કે, 'એક તરફ કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે પૂરું ઉત્પાદન મળતું નથી, અને બીજી તરફ એનપીકે ખાતરના ભાવમાં સીધો 800 રૂપિયાનો વધારો! ખેડૂત ક્યાં જાય? ખેતી ખર્ચ પણ હવે તો નીકળતો નથી."

આ પણ વાંચો- પીએમ કિસાન 23મો હપ્તો: ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લે, નહીંતર ₹2000 નો હપ્તો અટવાઈ જશે

મહેસાણાના ખેતી પ્રધાન વિસ્તારમાં ખેડૂતો અત્યારે મુંઝવણમાં છે. શિયાળુ પાકની સીઝન હોય કે આવનારી ખરીફ સીઝન, ખાતર વિના ખેતી શક્ય નથી. જ્યારે ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખાતરના આ ભાવ વધારાથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ સેવાઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ સબસિડી જાહેર કરે છે કે પછી જગતનો તાત આ મોંઘવારીના ખપ્પરમાં હોમાતો રહેશે.

Frequently Asked Questions

ખાતરના ભાવમાં કેટલો વધારો થયો છે?

સરદાર NPK ખાતરની 50 કિલોની બેગના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 1450 રૂપિયા હતા, હવે 2250 રૂપિયા થયા છે.

ખાતરના ભાવમાં વધારાનું કારણ શું છે?

અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને વૈશ્વિક યુદ્ધના કારણે ખાતર બનાવવા માટેના રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે.

ખાતરના ભાવ વધારાની ખેડૂતો પર શું અસર થશે?

ખેતી ખર્ચ વધશે અને ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ છે.

કયા ખાતરના ભાવમાં વધારો થયો છે?

યુરિયા અને DAP સિવાયના ખાતરો, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા સરદાર NPK ખાતરના ભાવમાં વધારો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો
ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો ધરખમ વધારો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Agriculture: હવે પાણીમાં ઉગશે શાકભાજી, નહીં પડે જમીન અને માટીની જરૂર, જાણો શું છે પાઇપ ફાર્મિંગ ?
Agriculture: હવે પાણીમાં ઉગશે શાકભાજી, નહીં પડે જમીન અને માટીની જરૂર, જાણો શું છે પાઇપ ફાર્મિંગ ?
Kitchen Gardening: તમારા ઘરના કિચન ગાર્ડનમાં આ રીતે કરો હળદરની ખેતી, મસાલાનું ટેન્શન થઈ જશે ખતમ
Kitchen Gardening: તમારા ઘરના કિચન ગાર્ડનમાં આ રીતે કરો હળદરની ખેતી, મસાલાનું ટેન્શન થઈ જશે ખતમ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
Embed widget